જામનગરના એસટી ડેપો પર સાતમ આઠમના તહેવારને લઈને ભારે ઘસારો: એક્સ્ટ્રા બસો મુકાઈ
જામનગર, તા. 6 સપ્ટેમ્બર 2023 બુધવાર
સાતમ આઠમ ના તહેવારોને લઈને જામનગરના એસ.ટી. ડેપો પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે, અને ખાસ કરીને દ્વારકા તરફ લોકોનું મોટા પ્રમાણમાં થઈ રહ્યું હોવાથી મૂકવામાં આવી રહી છે.
ખાસ કરીને જન્માષ્ટમીના તહેવારને લઈને જામનગર થી અમદાવાદ માટે પાંચ, રાજકોટ માટે ૬, દ્વારકા માટે ૪ અને જુનાગઢ માટે પાંચ એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. જયારે દ્વારકા તરફ જવા માટે દર ત્રણ કલાકે એક એસટી બસ મળે તે પ્રકારની વધારાની બસો દોડાવવામાં આવી રહી છે. ગઈકાલે પણ ૧૫ એસટી બસ બરોડા, સુરત, રાજકોટ અને જુનાગઢ તરફ દોડાવવામાં આવી હતી, અને મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.