Get The App

સ્વચ્છતા માટે દેશમાં નંબર વન સુરત પાલિકાની ભાજપના નેતાએ જ ખોલી પોલ, કચરોની ફરિયાદ માટે અધિકારીઓ ફોન રિસીવ ન કર્યાની ફરિયાદ

Updated: May 6th, 2025

GS TEAM


Google News
Google News
સ્વચ્છતા માટે દેશમાં નંબર વન સુરત પાલિકાની ભાજપના નેતાએ જ ખોલી પોલ, કચરોની ફરિયાદ માટે અધિકારીઓ ફોન રિસીવ ન કર્યાની ફરિયાદ 1 - image


Surat Corporation : સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશમાં અગ્રેસર સુરત શહેરના કેટલાક વિસ્તારમાં યોગ્ય સફાઈ થતી ન હોવાની ફરિયાદ આવી રહી છે. જોકે, આ ફરિયાદ વિપક્ષ નહી પરંતુ ભાજપના જ કેટલાક માજી કોર્પોરેટરો પાલિકાની નબળી કામગીરીની ફરિયાદ કરી રહ્યાં છે. પાલિકાના રાંદેર ઝોનમાં અનેક જગ્યાએ સફાઈની કામગીરી થતી નથી અને કચરાની ફરિયાદ કરે તો અધિકારીઓ ફોન રિસીવ ન કરતા હોવાની ચોંકાવનારી ફરિયાદ કરવામાં આવી છે. 

સ્વચ્છતા સર્વેક્ષણ માટે સુરત દેશમાં પહેલા નંબર પર છે અને આગામી દિવસોમાં આ નંબર યથાવત રહે તે માટે પ્રયાસ થઈ રહ્યા છે પરંતુ કેટલાક અધિકારીઓ-કર્મચારીઓની નબળી કામગીરીને પગલે આ સુરતના નંબર વન જોખમાઈ તેવી સ્થિતિ છે. આ પહેલા સ્વચ્છતા સર્વેક્ષણ ની કામગીરીમાં નબળો દેખાવ કરનારા કર્મચારીઓની બદલી કરી દેવામાં આવી હતી તેમ છતાં હજી પણ કેટલાક વિસ્તારમાં સફાઇની કામગીરી યોગ્ય થઈ ન હોવાની ફરિયાદ છે. 

સ્વચ્છતા માટે દેશમાં નંબર વન સુરત પાલિકાની ભાજપના નેતાએ જ ખોલી પોલ, કચરોની ફરિયાદ માટે અધિકારીઓ ફોન રિસીવ ન કર્યાની ફરિયાદ 2 - image

ભાજપના માજી કોર્પોરેટરના ઉષાબેન પટેલે ફરિયાદ કરી છે તેઓએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પાલનપોર વિસ્તારમાં 9 કચરાના ઢગલા ગંદકીનું સામ્રાજ્ય આખો વિસ્તાર ફરું તો 50 થી 60 વધુ કચરાના ઢગલા હોય છે. વોર્ડ ઓફિસના જવાબદાર કર્મચારી ફિલ્ડ ફરતા નથી એવું લાગે છે. આ ગંદકીની સફાઈ માટે ફોન કરવામા આવે છે તો જવાબદાર અધિકારીઓ ફોન ઉપાડતા નથી. ફોન સુરત મહાનગરપાલિકાના પ્રજાના પૈસાનો છે તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. 

Tags :