Get The App

ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા જનતાની સેવા માટે સમર્પિત છે : CM ભૂપેન્દ્ર પટેલ

ભારતીય જનતા પાર્ટી, કર્ણાવતી મહાનગર દ્વારા 'કાર્યકર્તા CPR ટ્રેનિંગ અભિયાન' નું આયોજન કરાયું

108 ના 10 કર્મચારીઓને 'ગોલ્ડન ઓવર' માં લોકોના જીવ બચાવવા બદલ સન્માનિત કરાયા

Updated: Apr 2nd, 2023

GS TEAM

Google News
Google News
ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા જનતાની સેવા માટે સમર્પિત છે : CM ભૂપેન્દ્ર પટેલ 1 - image

અમદાવાદ, તા. 2 એપ્રિલ 2023, રવિવાર 

આજે 'ઈમરજન્સી મેડિકલ ડે' નિમિત્તે અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજ ખાતે ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગર દ્વારા 'કાર્યકર્તા CPR ટ્રેનિંગ અભિયાન' નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે વાત કરતા કહ્યું કે, આપણે સૌએ તાજેતરમાં અનેક એવા કિસ્સાઓ જોયા છે કે કોવિડની મહામારી બાદ નાની વયે હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. સમાન્ય રીતે હાર્ટ એટેકના કિસ્સામાં 10 થી 20 મિનિટના 'ગોલ્ડન ઓવર' માં જો દર્દીને પ્રાથમિક સારવાર મળી રહે તો તેનો જીવ બચી શકે છે ત્યારે આ અંગેની જાગૃતિ લાવવા માટે રાજ્ય સરકાર, ભારતીય જનતા પાર્ટી તેમજ ડોક્ટર સેલ દ્વારા 'કાર્યકર્તા CPR ટ્રેનિંગ અભિયાન'નું આયોજન કરવામાં આવ્યું છે. 

સમર્પિત કાર્યકર્તાઓને કારણે જ દરેક અભિયાન શક્ય અને સફળ બનતું હોય છે: CM ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતુ કે, આજે રાજ્યની 38 મેડિકલ કોલેજોમાં 1200 થી વધુ તબીબો દ્વારા ગુજરાતના અંદાજિત 70 હજારથી વધુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે જેનો એક વર્લ્ડ રેકોર્ડ નોંધાવા પણ જઈ રહ્યો છે. તેમજ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ગમે તેવી મુશ્કેલી હોય ત્યારે સેવાના કામમાં જરૂર આવીને ઉભો રહે છે. ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા જનતાની સેવા માટે સમર્પિત છે. સમર્પિત કાર્યકર્તાઓને કારણે જ દરેક અભિયાન શક્ય અને સફળ બનતું હોય છે.  રાજ્ય સરકારે પણ 5 લાખનું વીમા કવચ વધારીને 10 લાખ કર્યું છે. એટલું જ નહીં દરેક તાલુકા લેવલે ડાયાલિસિસ સેન્ટર પણ ઉભા કરવામાં આવ્યા છે. આ બધું 'જે કહેવું એ કરવું' તેનું ઉદાહરણ છે તેવુ જણાવ્યુ હતું. જે કહેવું એ કરવું' અને જ્યાં સુધી પરિણામ ન મળે ત્યાં સુધી પ્રયાસો કરતા રહેવું એવી કાર્ય પદ્ધતિ નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દરેક કાર્યકર્તાએ અપનાવી છે

108 ના 10 કર્મચારીઓને 'ગોલ્ડન ઓવર' માં લોકોના જીવ બચાવવા બદલ સન્માનિત કરાયા 

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી દ્વારા 108 ના 10 કર્મચારીઓને 'ગોલ્ડન ઓવર' માં લોકોના જીવ બચાવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે શહેર અધ્યક્ષ અને એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી અને ડોક્ટરસેલના ઉપક્રમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે CPR ટ્રેનીંગનું આયોજન કરવામાં આવ્યું છે. તો અસારવા વિધાનસભાના ધારાસભ્ય શ્રી દર્શનાબેન વાઘેલા, નરોડાના ધારાસભ્ય શ્રી પાયલ કુકરાણી, ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ,  મહામંત્રીશ્રી, પ્રદેશ ડોક્ટર સેલના સંયોજક શ્રી ધર્મેન્દ્રભાઈ ગજ્જર,  અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડીન અને સુપ્રિટેન્ડેન્ટ તેમજ મેડિકલના વિદ્યાર્થીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Tags :