Get The App

50 થી વધુ કોચ રિપેર ન થઈ શકે છતાં 150 કોચનો ટાર્ગેટ !

Updated: Jun 10th, 2025

GS TEAM


Google News
Google News
50 થી વધુ કોચ રિપેર ન થઈ શકે છતાં 150 કોચનો ટાર્ગેટ ! 1 - image


- રેલવે વર્કશોપમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કમી અને અપર્યાપ્ત મટીરિયલ વચ્ચે 

- વર્કશોપમાં પાણીની તંગી : દિવ્યાંગ કર્મીઓ માટે નથી સુવિધા કે નથી વેલ્ફેર ઈન્સ્પેક્ટર : 7 જૂલાઈથી અનિશ્ચિત કાલ માટે ધરણાની ચિમકી 

ભાવનગર : ભાવનગર રેલવે વર્કશોપમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કમી, અપર્યાપ્ત મટીરિયલ અને ઓછા કર્મચારીઓ વચ્ચે ૫૦થી વધુ કોચ રિપેર ન થઈ શકે છતાં ૧૫૦ કોચનો ટાર્ગેટ આપવામાં આવે છે.  

વર્કશોપમાં પાણીની તંગી છે. કર્મચારીઓને કપડા બદલવા માટે ચેન્જ રૂમ નથી, પોતાનો સામાન રાખવા લોકર નથી. સિનિયર સેક્શન એન્જિનીયરોને બેસવા ઓફિસ નથી. વર્કશોપમાં કાર્ય કરતા દિવ્યાંગ કર્મીઓ માટે સ્પેશિયલ સુવિધા નથી. આવડું મોટું વર્કશોપ પણ વેલ્ફર ઈન્સ્પેક્ટર જ નથી. 

આ ઉપરાંત, વર્કશોપના કર્મચારીઓ માટે ઈન્સેન્ટિવ સ્કીમ જલદી લાગુ કરવા, પાંચ કર્મચારીઓને ખોટી રીતે ડીઆર એકશન લઈ રિમુવ કરવામાં આવ્યા છે તે તમામ કર્મચારીઓને જલ્દીથી પરત નોકરી પર લેવા, પાર્કિંગ માટે યોગ્ય શેડ બનાવવા સહિતની માંગણીઓ છે, તેમજ અને વર્કશોપ કર્મચારીઓની માંગોને લઈને પીએનએમ મીટિંગો થતી તે બંધ કરી દેવામાં આવી છે.

આ અસુવિધાઓ અને પડતર પ્રશ્નોને લઈને કર્મચારીઓમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે.  વર્કશોપ કર્મચારીઓની ન્યાયિક માંગને વારંવાર મીટિંગો અને પત્રો દ્વારા વર્કશોપ પ્રશાસન સમક્ષ મૂકવામાં આવી છે પરંતુ જાડી ચામડીના અધિકારીઓ દ્વારા ન્યાયિક માંગ ન સંતોષતા વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના જનરલ સેક્રેટરી આર.જી.કાબરની આગેવાનીમાં ડિવિઝનલ સેક્રેટરી બી.એન. ડાભીની સાથે વર્કશોપના કર્મચારીઓના સમર્થનમાં આગામી તા. ૭મી જૂલાઈથી વર્કશોપ એડમિન ઓફિસ ખાતે અનિશ્ચિત સમય માટે વિરાટ ધરણા યોજવાની ચિમકી અપાઈ છે. જેની ૨૧ દિવસ પહેલા આપવાની થતી સતાવાર નોટિસ ૨૧ દિવસ પહેલા પ્રસાશનને આપી દેવામાં આવી છે.  

Tags :