Gujarat

વડોદરામાં ગોરવાથી મધુનગર બ્રિજ સુધીનો રસ્તો પહોળો કરવામાં નડતરરૂપ 30 ઓટલા તોડાયા

By GS TEAM
17 Feb 20261 min read
TukuTouch Logo
મુક્તાનંદ રસ્તે ડ્રેનેજની કામગીરીમાં નડતરરૂપ 10 જેટલા લારી ગલ્લા કબજે

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં ગોરવાથી મધુનગર બ્રિજ સુધીનો રસ્તો પહોળો કરવામાં નડતરરૂપ 30 ઓટલા તોડાયા

Vadodara Corporation : વડોદરા પાલિકાની દબાણ શાખાએ મુક્તાનંદ ત્રણ રસ્તા આસપાસ ચાલતી કામગીરીમાં નડતરરૂપ 10 જેટલા ખાણી પીણીની લારી ગલ્લા અને ગલ્લા કબજે કર્યા હતા. આ ઉપરાંત ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા વિસ્તારમાં ગેરકાયદે ફુલ બજાર સહિત ફળફળાદી તથા અન્ય પથારાવાળાના મળીને એક તરફ જેટલો માલ સામાન કબજે કર્યો હતો. 

આ ઉપરાંત શહેરના પશ્ચિમ વિસ્તાર ગોરવાથી મધુનગર બ્રિજ સુધી ચાલતી રસ્તા પહોળા કરવાની કામગીરીમાં નડતરરૂપ બનેલા જેટલા ઓટલા પર બુલડોઝર ફેરવી દેવાયું હતું.