Get The App

વડોદરા રેલવે સ્ટેશનના એન્ટ્રી-એક્ઝિટ ગેટના દબાણો દૂર કરાયા

Updated: May 28th, 2025

GS TEAM


Google News
Google News
વડોદરા રેલવે સ્ટેશનના એન્ટ્રી-એક્ઝિટ ગેટના દબાણો દૂર કરાયા 1 - image


Vadodara : વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રાફિકની અવરજવરમાં સરળતા અને યાત્રીઓની સલામતી સુવિધાના ભાગરૂપે RPF, VMSS અને  ટ્રાફિક પોલીસના સંકલનમાં રેલવે સ્ટેશનએ એન્ટ્રી-એક્ઝિટ ગેટના દબાણો દૂર કરાયા હતા.

​ટ્રાફિક પ્રવાહને સુગમ બનાવવા અને યાત્રીઓની સુવિધા માટે ગતરોજ વડોદરા રેલવે સ્ટેશન પર સંયુક્ત દબાણ હટાવ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. વડોદરા મંડળના કોમર્શિયલ વિભાગ, રેલવે સુરક્ષા બળ (RPF), વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMSS) અને શહેરની ટ્રાફિક પોલીસના સંકલનમાં આ કામગીરી થઇ હતી. સ્ટેશનના એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટમાં બાધારૂપ અનધિકૃત વાહનો અને લારીઓના દબાણો દૂર કરાયા હતા. ટ્રાફિક પોલીસ દ્વારા અનધિકૃત 11 જેટલા ટુવ્હીલર વાહનોને ટૉ કરવામાં આવ્યા હતા. જયારે VMSS દ્વારા 7 જેટલી લારી જપ્ત કરાઈ હતી. તેમજ ​વડોદરા મંડળ દ્વારા તમામ યાત્રીઓ અને સ્ટેશન ઉપયોગકર્તાઓને આગ્રહ કરાયો હતો કે, તેઓ પોતાના વાહન ફક્ત દર્શાવેલા અને અધિકૃત પાર્કિંગ વિસ્તારોમાં જ પાર્ક કરે.

Tags :