Get The App

બગદાણામાં યુવાન પર થયેલા હુમલાના પ્રકરણમાં સંડોવાયેલા અગિયારમાં શખ્સની ધરપકડ

Updated: Jan 21st, 2026

GS TEAM

Google News
Google News
બગદાણામાં યુવાન પર થયેલા હુમલાના પ્રકરણમાં સંડોવાયેલા અગિયારમાં શખ્સની ધરપકડ 1 - image

- ભોગ બનનાર યુવાને એસઆઈટી સમક્ષ 15 જેટલા પુરાવા રજૂ કર્યા

- 8 શખ્સ પકડાયા બાદ એસઆઈટીએ વધુ 3 શખ્સની ધરપકડ કરતા આંક 11 પર પહોંચ્યો

ભાવનગર : સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર બગદાણામાં યુવાન પર થયેલા હુમલાનો વિવાદ હવે પરાકાષ્ટાએ પહોંચ્યો છે. રોજ બરોજ નવા નવા ખલાસ થઈ રહ્યા છે.તેવામા આ પ્રકરણના ૨૦ દિવસ બાદ એસઆઇટીએ ભોગવનાર યુવાનનું વિશેષ નિવેદન નોંધ્યું હતું.જ્યારે એસઆઇટીએ વધુ એક શખ્સની ધરપકડ કરી લેતા ધરપકડનો આંક ૧૧ પર પહોંચ્યો છે.

 ૨૨ દિવસ પૂર્વે બગદાણામાં નવનીતભાઈ બાલધીયા પર આંઠ ઇસમો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલાના પગલે કલાકાર માયાભાઈ આહીર ના પુત્ર જયરાજ આહીરનું નામ હુમલામાં સામે આવ્યું હતું. પ્રથમ નવનીતભાઈ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ બગદાણા પોલીસ મથકના પીઆઇ દ્વારા લેવામાં આવી ન હતી અને મામલો ગરમાયો હતો. દરમિયાનમા આ વિવાદ  વકરતા બગદાણા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી ડાંગરની બદલી કરી દેવામાં આવી હતી.અને મહુવાના પોલીસી ઇન્સ્પેક્ટર કે એસ પટેલને સમગ્ર તપાસ આપી દેવામાં આવી હતી. તેમ છતાં તપાસ સાચી દિશામાં જતી ન હોવાનો રોષ ભભૂકી ઉઠયો હતો.અને  કોળી સમાજના આગેવાનો દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતના પગલે તુરંત જ એસઆઇટીની રચના કરી દેવામાં આવી હતી. અને એસઆઇટી દ્વારા પકડાયેલા આઠ આરોપીના ફરધર રિમાન્ડ મેળવી સઘન પૂછપરછ કરી હતી.અને એસઆઈટી એક પછી એક પરત ખોલવાનું શરૂ કર્યું હતું.તો બીજી તરફ ગઈ કાલે નવનીતભાઈનું એસઆઇટીએ વિશેષ નિવેદન લીધું હતું.અને નવનીતભાઈનું વિશેષ નિવેદન નોંધવાની પ્રક્રિયા ત્રણ કલાક સુધી ચાલી હતી.અને નવનીતભાઈ ૧૫ જેટલા પુરાવાઓ આપ્યા હોવાનું જણાવ્યું હતું.જ્યારે એસઆઇટીની ટીમે વધુ એક દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકી ( રહે.કોડિયા ) નામના શખ્સની ધરપકડ કરી ભાવનગરની હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. હવે આ પ્રકરણમાં કુલ અગિયાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

બગદાણા હુમલા પ્રકરણમાં ક્યારે કેટલા શખ્સ પકડાયા

બગદાણા હુમલાની ઘટનામાં આરોપી નાજુ કામળીયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્ર પરમાર, સતિષ વનાળીયા, ભાવેશ સેલાળા, વિરુ સઈડા, પંકજ મેર સહિત આઠ શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આ બનાવમાં એસઆઈટીની ટીમે ૧૫ જાન્યુઆરીના રોજ પ્રથમ કાનભાઈ ભીખાભાઈ કામળીયાની ધરપકડ કરી હતી ત્યાર બાદ ૧૬ જાન્યુઆરીના રોજ સંજય ચાવડાને ઝડપી લીધા બાદ ગત રાત્રીના દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકીને ઝડપી પાડયો છે.