Gujarat

સુભાનપુરામાં લક્ઝરી બસની અડફેટે વૃદ્ધાનું મોત

By GS TEAM
1 Dec 20251 min read
સુભાનપુરામાં લક્ઝરી બસની અડફેટે વૃદ્ધાનું મોત

 વડોદરા,સુભાનપુરા ઝાંસી કી રાણી સર્કલ પાસે લક્ઝરી બસના ચાલકે વૃદ્ધાને  ટક્કર મારતા ગંભીર ઇજા થતા મોત થયું છે. જે અંગે ગોરવા પોલીસે ગુનો દાખલ કરી ડ્રાઇવરની ધરપકડ કરી છે.

સુભાનપુરા સમતા બાલાજી નગરમાં રહેતા ૬૩ વર્ષના હર્ષાબેન ગોપાલભાઇ કાકલોતર આજે સવારે રામેશ્વર મંદિર પાસે આવેલી એક સોસાયટીના મકાન માટે ગયા હતા.ત્યાંથી તેઓ ચાલતા ઘર તરફ જતા હતા. તે દરમિયાન ઝાંસી કી રાણી સર્કલ પાસે એક લકઝરી બસના ચાલકે તેઓને અડફેટે લીધા હતા.હર્ષાબેનને પગ તથા કમરના ભાગે ગંભીર ઇજા થઇ હતી. રાહદરીઓએ તેઓને સાઇડ પર બેસાડી એમ્બ્યુલન્સ બોલાવી હતી. તે દરમિયાન  તેઓનો પુત્ર પણ સ્થળ પર આવી ગયો હતો. ઇજાગ્રસ્તને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બપોરે તેઓનું મોત થયું હતું. ગોરવા પોલીસે  ગુનો દાખલ કરી ડ્રાઇવર કમલેશ શ્યામરાવ ફડકે (રહે.  સેવાસી) ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.