ભગવાન જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રા માટે પૂર્વમાં જડબેલસાક બંદોબસ્ત
૮૯ માથાભારેને પાસા, ૩૧ તડીપાર, પ્રોહીબિશનના ૧૪૫૮, જુગારના ૧૨૨ કેસ
રથયાત્રામાં શાંતિ જળવાય માટે ઘાતક હથિયાર સાથે ૨૪૧ પકડાયા હદપાર ૨૭
અદાવાદ, મંગળવાર
જમાલપુરમાં જગન્નાથ મંદિરથી તા.૨૭ના રોજ ભગવાન જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રા શાંતિ પૂર્વ વાતાવરણમાં
સંપન્ન થાય તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા રથયાત્રાના સમગ્ર રૃટ ઉપર જડબેસલાક પોલીસ બંદસ્બસ્ત ગોઠવવામાં આવ્યો છે તેમજ રથયાત્રામાં અસામાજિક તત્વો દ્વારા કોઈ ગરબડી કરવામાં ના આવે તેમજ રથયાત્રા નિર્ભયતા ભર્યા વાતાવરણમાં, ધામક શાંતિના માહોલ વચ્ચે યોજાય તે માટે પોલીસ દ્વારા સેક્ટર ૦૨ વિસ્તારના ઝોન ૦૪, ૦૫ અને ૦૬ વિસ્તારમાં પ્રોહીબિશનના કેસો ૧૪૫૮, જુગારના ૧૨૨ કેસો, દરિયાપુર અને નારોલ ખાતે ત્રણ હથિયારો પકડી પાડી, ૦૨ કેસમાં કરવામાં આવેલા છે. તેમજ ૮૯ માથાભારે ઇસમો સામે પાસા અને ૩૧ શખ્સોને તડીપાર કરવામાં આવ્યા છે.
રથયાત્રામાં શાંતિ જળવાય માટે ઘાતક હથિયાર સાથે ૨૪૧ પકડાયા હદપાર ૨૭, કેફી પીણું પીને વાહન ચલાવતા ૧૪૧ પકડાયા, ભાડુઆત જાહેરનામાં ભંગ બાબત ૨૬૦ વિરુધ્ધ કાર્યવાહી
અમદાવાદના જે ડિવિઝનના ડીસીપી પ્રદિપસિંહ જાડેજા, એસીપી યુવરાજસિંહ ગોહિલ, એસીપી કૃણાલ દેસાઈના માર્ગ દર્શન હેઠળ પૂર્વ વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતે આગામી સમયમાં નીકળનારી રથયાત્રા અનુસંઘાને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ ઝુંબેશનુ આયોજન કરવામા આવેલ છે. જેમા આ ખાસ ઝુંબેશ દરમિયાન સેક્ટર ૦૨ વિસ્તારના પોલીસ સ્ટેશનો ખાતે પોલીસ દ્વારા કાર્યવાહી કરી, તા. ૦૧.૦૫.૨૦૨૫ પછી રથયાત્રા સંબંધે સેક્ટર ૦૨ વિસ્તારના વિસ્તારમાં પ્રોહીબિશનના કેસો ૧૪૫૮, જુગારના ૧૨૨ કેસો, આર્મ્સ એક્ટ મુજબ દરિયાપુર અને નારોલ ખાતે ત્રણ હથિયારો પકડી પાડી, ૦૨ કેસમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. આ કાર્યવાહી દરમિયાન ૮૯ માથાભારે ઇસમો વિરુદ્ધ પાસા ધારા મુજબ અને ૩૧ ઇસમો વિરુદ્ધ તડીપાર ની કાર્યવાહી કરવામાં આવી હતી.
કોઈ અસામાજિક તત્વો વૈમનસ્ય ફેલાવવામાં સફળ ના થાય, એ હેતુથી ૫૯ શાંતિ સમિતિ ની મિટીંગો, ૭૨ મહોલ્લા સમિતિ મિટિંગ, ૦૬ ધર્મગુરુઓ સાથે મિટિંગ, ૦૭ ટ્રક એસોસિએશનની મિટિંગ, ૦૪ અખાડા સંચાલકો સાથે મિટિંગ અને ૦૨ બ્લડ ડોનેશન કેમ્પ પણ કરવામાં આવ્યા હતા.