Get The App

કરફ્યુ સમયે ત્રાટકેલા તસ્કરો આરામથી પતરું તોડી અંદર પ્રવેશ્યા અને સામાન વેરવિખેર કરી ચોરી કરી

Updated: Feb 15th, 2022

GS TEAM

Google News
Google News
કરફ્યુ સમયે ત્રાટકેલા તસ્કરો આરામથી પતરું તોડી અંદર પ્રવેશ્યા અને સામાન વેરવિખેર કરી ચોરી કરી 1 - image

( પ્રતિનિધિ દ્વારા ) સુરત, બુધવાર

સુરતના ઉધના સ્ટેશન રોડ પર મોબાઈલ શોપની ઉપરનું સિમેન્ટનું પતરું તોડી કરફ્યુ સમયે ત્રાટકેલા તસ્કરોએ રૂ.71 હજારના 24 મોબાઈલ ફોન અને બે સ્પીકરની ચોરી કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના વતની અને સુરતમાં ઉધના ગામ રિષભ એપાર્ટમેન્ટ ઘર નં.501 માં રહેતા 34 વર્ષીય અભિષેકભાઇ ગણપતભાઇ શાહ ઉધના સ્ટેશન રોડ ચૌહાણ શોપીંગ સેન્ટર દુકાન નં.7 માં સુરેખા મોબાઈલના નામે મોબાઈલ શોપ ધરાવે છે. હતું બુધવારે રાત્રે નવ વાગ્યે તેમણે નિત્યક્રમ મુજબ દુકાન બંધ કરી હતી અને ઘરે ગયા હતા.દરમિયાન, ગત સવારે નવ વાગ્યે તેમની દુકાનની બાજુમાં દુકાન ધરાવતા રોશનભાઈએ તેમને ફોન કરી કહ્યું હતું કે તમારી દુકાનનું સિમેન્ટનું ઉપરનું પતરું તૂટેલું છે.આથી અભિષેકભાઈ તરત દુકાને દોડી ગયા હતા.

દુકાને જઈ તપાસ કરતા અંદર તમામ સામાન વેરવિખેર હતો અને ઉપરનું સિમેન્ટનું પતરું તૂટેલું હતું. તપાસ કરતા દુકાનમાંથી રૂ.70,987 ની મત્તાના 24 મોબાઈલ ફોન અને બે સ્પીકરની ચોરી થઈ હતી. કરફ્યુ સમયે ત્રાટકી આરામથી પતરું તોડી અંદર પ્રવેશી અને સામાન વેરવિખેર કરી ચોરી કરનાર તસ્કરો વિરુદ્ધ અભિષેકભાઈએ બાદમાં ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.