હરણી મોટનાથ તળાવમાં સફાઈના અભાવે જળકુંભીનું સામ્રાજ્ય છવાયું
તળાવ ફરતે ઘાસ- છોડ અને વેલા ઉગી નીકળતા ગંદકીનું પ્રમાણ
હરણી મોટનાથ તળાવમાં બોટ દુર્ઘટના બાદ છેલ્લા ઘણા સમયથી સાફ સફાઇ
ન થતા તળાવમાં જંગલી વનસ્પતિ ઊગી નીકળવા સાથે તળાવ ફરતે ઘાસ ઊગી નીકળતા
વહેલી તકે સફાઈની લોકમાંગ છે.
હરણી મોટનાથ તળાવ પીપીપી ધોરણે વિકસાવવામાં આવ્યું હતું. જાન્યુઆરી 2024ના રોજ લેકઝોનમાં સર્જાયેલી
દુર્ઘટનામાં ન્યૂ સનરાઈઝ શાળાના બાળકો તથા શિક્ષિકાઓ મળીને કુલ 14 લોકોના મોત નીપજ્યાં હતા. આ
મામલે પોલીસે મેસર્સ કોટીયા પ્રોજેક્ટના મેનેજર સહિત કુલ 18 લોકો સામે ગુનો દાખલ કરીને
કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. લેકઝોન બંધ થતા તળાવ ખાતે મુલાકાતીઓ જઈ શકતા નથી.
પાછલા દોઢ વર્ષથી આ પરિસ્થિતિ વચ્ચે તળાવની અંદર સાફ સફાઈના
અભાવે જંગલી વેલા વનસ્પતિ ઊગી નીકળી છે. તેમજ તળાવની આસપાસ પણ ઘાસ-
છોડ અને વેલા ઉગી નીકળ્યા છે. વિવિધ રાઇડ્સ પણ ભંગારમાં
ફેરવાઈ છે. હવે તેની સાફ-સફાઈ માટે ખર્ચ કરવો
પડશે. એક સમયે લોકોની અવર જવરથી સતત વ્યસ્ત રહેતું આ તળાવ હવે નિરુપયોગી ઉપયોગી
બન્યુ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.