Get The App

પશુપાલકો માટે ખુશખબર: 437 કરોડના ભાવ ફેર વધારાની દૂધસાગર ડેરીની જાહેરાત, વીમાની રકમ બમણી

Updated: Aug 4th, 2025

GS TEAM

Google News
Google News
પશુપાલકો માટે ખુશખબર: 437 કરોડના ભાવ ફેર વધારાની દૂધસાગર ડેરીની જાહેરાત, વીમાની રકમ બમણી 1 - image


Mehsana Dudhsagar Dairy News: મહેસાણાની દૂધસાગર ડેરીએ તેના પશુપાલકો માટે એક મોટી જાહેરાત કરી છે. ડેરીની 65મી સાધારણ સભામાં ચેરમેન અશોક ચૌધરીએ પશુપાલકોના દૂધના ભાવ ફેરમાં વધારાની સાથે અન્ય કલ્યાણકારી યોજનાઓ માટે વધારાની જાહેરાત કરી છે.

રૂપિયા 437 કરોડનો ભાવ ફેર વધારો

દૂધ સાગર ડેરીએ પશુપાલકોને કુલ રૂપિયા 437 કરોડનો ભાવ ફેર વધારો આપવાની જાહેરાત કરી છે. આ વધારાથી પશુપાલકોને તેમના દૂધના ઉત્પાદન પર વધુ સારું વળતર મળશે, જે તેમની આર્થિક સ્થિતિને સુધારવામાં મદદ કરશે.

10% ડિવિડન્ડ અને સહાયમાં વધારો

આ ભાવ ફેર વધારા ઉપરાંત, ડેરીએ પશુપાલકોને 10% ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરી છે. આ સાથે, પશુઓ માટેની સુવિધાઓ જેવી કે ઘોડી અને કુલિંગ ફુવારા માટે અપાતી સહાયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ આ સહાય 30% હતી, જે હવે વધારીને 40% કરી દેવામાં આવી છે.

વીમાની રકમ બમણી

પશુપાલકોના કલ્યાણ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને, ડેરીએ અકસ્માત વીમાની રકમ પણ વધારી છે. અકસ્માતે મરણ વીમાની રકમ 2 લાખ રૂપિયાથી વધારીને 4 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ નિર્ણય પશુપાલકોના પરિવાર માટે એક મોટી આર્થિક સુરક્ષા પ્રદાન કરશે. ડેરી દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયોથી પશુપાલકોમાં ખુશીનો માહોલ છે. 


Tags :