Get The App

પંચવટી ચોકમાં બાઈક સ્લીપ થઈ જતા ચાલકનું મોત નિપજ્યું

Updated: May 28th, 2025

GS TEAM


Google News
Google News
પંચવટી ચોકમાં બાઈક સ્લીપ થઈ જતા ચાલકનું મોત નિપજ્યું 1 - image


- મિત્રને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો

- બન્ને મિત્રો બાઈક લઈને ઘર તરફ જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો

ભાવનગર : ભાવનગરના સુભાષનગર, પંચવટી ચોક પાસે બાઈક સ્લીપ થઈ જવાની ઘટનામાં ચાલકનું મોત નીપજ્યું હતું,જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. 

આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગરના ઘોઘા રોડ,ચૌદનાળા,મીની હીરા બજારમાં રહેતા વનરાજસિંહ ચંદુભા સરવૈયા અને તેમના મિત્ર વિક્રમસિંહ માવુભા ગોહિલ ( રહે. ઘોઘારોડ, મોટા શીતળા માતાજીના મંદિર સામે, મારુતિ નગર ) ગત તા.૨૨ મે ૨૦૨૫ના રોજ તેમનું  મોટરસાઇકલ નં.જી.જે.૦૪ ડી.કે.  ૮૪૭૮ લઈને રાત્રિના બાર વાગ્યા આસપાસ સુભાષનગર, પંચવટી ચોક, માળનાથ પાનના ગલ્લા સામે જઈ રહ્યા હતા ત્યારે રોડ ઉપર કામ શરૂ હોય ત્યાં રાખેલ લોખંડનું ભૂંગળું વચ્ચે આવતા અચાનક બાઈકને બ્રેક મારતા બાઇક સ્લીપ થઈ ગઈ હતી. આ ઘટનામાં વનરાજસિંહ અને વિક્રમસિંહને ઇજા થતા બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં બાઈક ચાલક વનરાજસિંહ ચંદુભા સરવૈયાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે વિક્રમસિંહએ મિત્ર વિરૂધ્ધ ઘોઘારોડ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :