Get The App

નવરાત્રિમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કરનારાઓની ખેર નથી, અમદાવાદમાં 2100 જવાનો ખડેપગે રહેશે

ટ્રાફિક વિભાગ 150 જેટલા બ્રેથ એનેલાઈઝર મશીન અને કુલ 39 સ્પીડ ગનનો ઉપયોગ કરશે

ચાલુ ગરબા દરમિયાન રોમિયોગીરી કરતા લોકોની શી ટીમ ધરપકડ કરશે

Updated: Oct 17th, 2023

GS TEAM


Google News
Google News
નવરાત્રિમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કરનારાઓની ખેર નથી, અમદાવાદમાં 2100 જવાનો ખડેપગે રહેશે 1 - image



અમદાવાદઃ (Ahmedabad)આસ્થા-ઉલ્લાસના પર્વ શારદીય નવરાત્રિનો પ્રારંભ થઇ ગયો છે. (Navratri)નવરાત્રિના પ્રથમ નોરતાંમાં જ વાહન અકસ્માતથી ઈજાના કેસમાં સામાન્ય દિવસોની સરખામણીએ 17 ટકાનો વધારો થયો છે. (City traffic)ત્યારે વાહન અકસ્માતો અટકાવવા અને ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કેસ કાબુમાં કરવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે. 

શહેરમાં નવી સ્પેશિયલ ટીમ મૂકવામાં આવી

નવરાત્રી અંગે અમદાવાદ ટ્રાફિક પોલીસના એક્શન પ્લાનની માહિતી આપતા અમદાવાદ શહેર પશ્ચિમ ટ્રાફિક DCP નીતા દેસાઈએ કહ્યું કે અત્યાર સુધી મોડી રાત્રે 12 વાગ્યા સુધી ટ્રાફિક વિભાગના (police action plan)1500 જવાનો બંદોબસ્તમાં હતા, હવે તેમાં 600નો વધારો કરીને 2100 જવાનો બંદોબસ્તમાં હાજર રહેશે.અમદાવાદ શહેરમાં 113 પોઇન્ટ એવા છે જ્યાં વધારે ટ્રાફિક થાય છે. નવરાત્રી દરમિયાન સ્પેશિયલ 600 જવાનોને મોડી રાત દરમિયાન ટ્રાફિક નિયમનમાં રહેશે. વધારે ટ્રાફિક થતાં શહેરના વિસ્તારોમાં નવી સ્પેશિયલ ટીમ મૂકવામાં આવી છે. મોડી રાત્રે ટ્રાફિકના જવાનો રેડિયમ વાળા જેકેટ પહેરીને હાજર રહેશે. 

રોમિયોગીરી કરતા લોકોની શી ટીમ ધરપકડ કરશે

DCP નીતા દેસાઈએ કહ્યું હતું કે, ડ્રીંક એન્ડ ડ્રાઈવને લઈને ટ્રાફિક વિભાગ એક્શન મોડમાં રહશે. ડ્રીંક એન્ડ ડ્રાઇવ અને ઓવર સ્પીડ કાર ચલાવશે તો તેની સામે કાર્યવાહી થશે. ટ્રાફિક વિભાગ 150 જેટલા બ્રેથ એનેલાઈઝર મશીન અને કુલ 39 સ્પીડ ગનનો ઉપયોગ કરશે. 9 ઈન્ટરસેપ્ટ વાન હાઇવે પર હાજર રહેશે. ટ્રાફિકના નિયમોનું ધ્યાન રાખીને તહેવારોની ઉજવણી કરવી જોઈએ. ટ્રાફિક વિભાગ નવરાત્રી નહીં ઉજવે પણ તમે નવરાત્રી ઉજવી શકો તે માટે અમે બંદોબસ્તમાં રહીશું. નવરાત્રી દરમિયાન ટ્રાફિક વિભાગ, લોકલ પોલીસ અને શી ટીમ હાજર રહેશે. ચાલુ ગરબા દરમિયાન રોમિયોગીરી કરતા લોકોની શી ટીમ ધરપકડ કરશે.

નવરાત્રિમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કરનારાઓની ખેર નથી, અમદાવાદમાં 2100 જવાનો ખડેપગે રહેશે 2 - image

Tags :