Get The App

વડોદરાના જૈન દંપતીનો મૃતદેહ શોધવા પુત્રીનો DNA ટેસ્ટ,બંને પુત્રી દીકરાની ખોટ પુરી કરતી હતી

Updated: Jun 13th, 2025

GS TEAM


Google News
Google News
વડોદરાના જૈન દંપતીનો મૃતદેહ શોધવા પુત્રીનો DNA  ટેસ્ટ,બંને પુત્રી દીકરાની ખોટ પુરી કરતી હતી 1 - image

વડોદરાઃ વાઘોડિયારોડના જૈન દંપતીના મૃતદેહને શોધવા માટે તેમની પુત્રી લંડનથી આવવા રવાના થઇ ગઇ છે.

ગુરૃકુલ ચાર રસ્તા પાસે વિમલનાથ રેસિડેન્સીમાં રહેતા ઇન્દ્રવદનભાઇ દોશી અને તેમના પત્ની જ્યોતિબેન દોશીને સંતાનમાં બે પુત્રી હતી.જે બંને પુત્રની ખોટ પુરી કરે તેવી કાળજી લેતી હતી.

લંડન રહેતી પૂનમને બે દીકરા છે અને તેણે માતા-પિતાને ફરવા માટે બોલાવ્યા હતા. જ્યારે,અકોલામાં રહેતી હેતલને બે પુત્રી છે અને તે માતા-પિતાની બેગ તૈયાર કરવા એક મહિના સુધી તેમની સાથે રહી હતી.માતા-પિતા વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર જવાના હોવાથી હેતલ આગલી રાતે જ અકોલા જવા રવાના થઇ હતી.

બંને માતા-પિતાના મૃતદેહ શોધવા હેતલબેનનો ડીએનએ ટેસ્ટ લેવામાં આવ્યો હતો.જ્યારે,માતા-પિતાને બોલાવનાર પૂનમબેન પણ ભારત આવવા રવાના થયાછે.

Tags :