શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને 250 કિલો હજારીગલના ફૂલોનો દિવ્ય શણગાર
Kashtbhanjandev Temple Salangpur: સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે રવિવારે (24મી ઓગસ્ટ)ના રોજ દિવ્ય ફૂલની ડિઝાઈનના વાઘા પહેરાવ્યા છે. સિંહાસને 250 કિલો હજારીગલના ફૂલોનો શણગાર કરાયો હતો.
રવિવારે સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ અનેરા દર્શનનો લાભ અનેક ભક્તોએ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.