Gujarat

જામનગરમાં કચરો ફેંકવાના પ્રશ્ન બે પાડોશીઓ વચ્ચે તકરાર : એક દંપત્તિ પર ચાર પાડોશીઓનો હુમલો

By GS TEAM
3 Jul 20251 min read
TukuTouch Logo
જામનગરમાં ભીમવાસ શેરી નંબર-2 માં કચરો ફેંકવાના પ્રશ્ને બે પાડોશીઓ વચ્ચે તકરાર થઈ હતી, અને એક દંપત્તી ઉપર 4 પાડોશીઓએ ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં કચરો ફેંકવાના પ્રશ્ન બે પાડોશીઓ વચ્ચે તકરાર : એક દંપત્તિ પર ચાર પાડોશીઓનો હુમલો

Jamnagar Crime : જામનગરમાં ભીમવાસ શેરી નંબર-2 માં કચરો ફેંકવાના પ્રશ્ને બે પાડોશીઓ વચ્ચે તકરાર થઈ હતી, અને એક દંપત્તી ઉપર 4 પાડોશીઓએ ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.

 જામનગરમાં જુના રેલવે સ્ટેશન નજીક ભીમવાસ શેરી નંબર-2 માં રહેતી દેવીબેન જેન્તીભાઈ ચૌહાણ નામની પરિણીત મહિલાએ પોતાના ઉપર તેમજ પોતાના પતિ જયંતિલાલ ચૌહાણ ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પાડોશમાં રહેતા મણિલાલ વાઘેલા, ઉપરાંત તેના પુત્ર ગોપાલ મણીલાલ, નયન મણીલાલ, અને કારિયો વગેરે ચાર પાડોશીઓ સામે ફરિયાદ નોંધાવી છે.

 પોલિસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી દેવીબેનના પતિ જેન્તીભાઈ ઘરની બહાર કચરો ફેંકવા માટે ગયા હતા, જે દરમિયાન પાડોશી મણીલાલ વગેરે સાથે તકરાર થઈ હતી, અને પરિવારના ચાર સભ્યો જેંતીલાલ પર હુમલો કરી રહ્યા હતા, તેથી પોતાના પતિને છોડાવવા માટે વચ્ચે પડેલા દેવીબેન ઉપર પણ હુમલો કરી દેવાયો હતો. જેથી મામલાને સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને ચારેય સામે હુમલાની ફરિયાદ નોંધાવી છે.