Get The App

દિગંબર જૈન સમાજના સાધ્વી સમૃધ્ધીમતીજી કાળધર્મ પામ્યા - આજે સવારે સન્મતીપાર્કથી પાલખીયાત્રા

સન્મતીપાર્કમાં ચાતુર્માસ કરી રહ્યા હતા ઃ સવારે ૯ વાગ્યે વેમાલીગામ ખાતે સંલ્લેખના (અગ્નિસંસ્કાર) મહોત્સવ

Updated: Sep 16th, 2018

GS TEAM


Google News
Google News
દિગંબર જૈન સમાજના સાધ્વી સમૃધ્ધીમતીજી કાળધર્મ પામ્યા - આજે સવારે સન્મતીપાર્કથી પાલખીયાત્રા 1 - image

વડોદરા,તા.16,રવિવાર

વડોદરાના સમા સાવલી રોડ પર આવેલા સન્મતીપાર્કમાં ચાતુર્માસ માટે બિરાજમાન દિગંબર જૈન સમાજના સાધ્વી સમૃધ્ધીમતિ માતાજી આજે મોડી સાંજે કાળધર્મ પામ્યા હતા તેઓએ શનિવારે સવારે યમ સંલ્લેના (સંથારો) લેવાનો નિર્ણય લઇને અન્ન જળનો ત્યાગ કર્યો હતો.

આજે આખી રાત સાધ્વીજીના અંતિમ દર્શન માટે દેશભરમાંથી આવેલા શ્રધ્ધાળુઓનો ધસારો રહ્યો હતો. સોમવારે સવારે ૬ વાગ્યાથી જાહેર જનતા માટે સાધ્વીજીના અંતિમ દર્શન ખુલ્લા મુકવામાં આવશે તેમ દિગંબર જૈન સમાજના અગ્રણી મમતાબેન શાહે કહ્યું હતું.

તેઓએ પાલખીયાત્રા અંગે માહિતી આપી હતી કે સોમવારે સવારે ૭.૩૦ વાગ્યે સન્મતીપાર્કથી પાલખીયાત્રા નિકળશે અને નજીકમાં આવેલા વેમાલી ગામ ખાતે સંલ્લેખના મહોત્સવ એટલે કે તેમના અગ્નિસંસ્કારની વિધી થશે. જે બાદ તે સ્થળે જ તેમની સમાધીનું નિર્માણ થશે.

ઉલ્લેખનિય છે કે પ.પૂ.તપસ્વી સમ્રાટ આચાર્ય સન્મતી સાગરજી મહારાજના શિષ્યા આર્યિકા શુભમતી માતાજી ૧૦ સાધ્વીજીના સંઘ સાથે વડોદરામાં સન્મતીપાર્ક ખાતે ચાતુર્માસ અર્થે બિરાજમાન છે. જે પૈકી ૯૩ વર્ષના આર્યિકા સમૃધ્ધીમતી માતાજીએશનિવારેે યમ સંલ્લેખના(સંથારો)ની ઇચ્છા જાહેર કરતા ગુરૃ આર્યિકા શુભમતી માતાજીએ તેમને અનુમતી આપી હતી.

Tags :