Get The App

સયાજી હોસ્પિટલની કેન્ટિનમાં ખાધા પછી ઝાડા ઉલટી

બે દિવસમાં ત્રણ કેસ નોંધાયા : ત્રણેય દર્દીઓની સયાજીમાં જ સારવાર કરાઇ

Updated: Jun 10th, 2025

GS TEAM


Google News
Google News
સયાજી હોસ્પિટલની કેન્ટિનમાં ખાધા પછી ઝાડા ઉલટી 1 - image

વડોદરા,સયાજી હોસ્પિટલની કેન્ટિનમાં ખાધા પછી ઝાડા ઉલટી થયાનો ત્રીજો કેસ આજે નોંધાયો છે. દર્દીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

સયાજી હોસ્પિટલની કેન્ટિનમાં  ગઇકાલે રાતે ખાધા બાદ  અંકિતકુમાર પવનકુમાર ( ઉં.વ.૨૧) ને આજે ફૂડ પોઇઝનિંગના કારણે ઝાડા ઉલટી થતા તેઓેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્રણ દિવસ  અગાઉ પણ સોમાભાઇ લાલજીભાઇ પઢિયારે (ઉં.વ.૬૦) સયાજી હોસ્પિટલની કેન્ટિનમાં ખાતા તેઓને ઝાડા ઉલટી થઇ ગયા તા. તેઓને ૮ મી તારીખે રાતે ચાર વાગ્યે સયાજી હોસ્પિટલમાં જ દાખલ કરવામાં આવ્યા હતા.

આજોડ ગામ મણી પાર્ક સોસાયટીમાં રહેતા ૪૫ વર્ષના ભાવેશગીરી જગદીશગીરી ગોસ્વામીને  ગત ૬ અને ૭ તારીખે સયાજી હોસ્પિટલની કેન્ટિમાં ખાધા પછી ઝાડા ઉલટી થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે,સયાજી હોસ્પિટની કેન્ટિનમાં બહારગામથી સારવાર માટે આવતા દર્દીના સગાઓ માટે ભોજનની વ્યવસ્થા છે.  છેલ્લા બે  દિવસમાં ફૂડ પોઇઝનિંગના ત્રણ કેસ નોંધાયા છે. 

Tags :