અમદાવાદના પ્લેન ક્રેશમાં ધોળકાના કેલિયા વાસણાના દંપતીનું મોત
પરિવાર
વર્ષોથી અમદાવાદના ઘાટલોડિયામાં રહેતો હતો
વર્ષોથી
લંડનમાં રહેતું દંપતી સીમંતવિધિ કરાવી પરત જતું હતું ત્યારે દુર્ઘટના બની
બગોદરા -
અમદાવાદના પ્લેન ક્રેશમાં ધોળકાના કેલિયા વાસણા ગામના દંપતીએ
જીવ ગુમાવ્યા છે. વર્ષોથી લંડન રહેતા દંપતી સીમંતવિધિ કરાવી પરત જતા હતા ત્યારે
મૃત્યુ પામ્યા હતા.
મૂળ
ધોળકા તાલુકાના કેલિયા વાસણા ગામના અને વર્ષોથી અમદાવાદના ઘાટલોડિયા રહેતા પતિ
વૈભવ રસિકભાઈ પટેલ અને પત્ની જીનલ વૈભવભાઈ પટેલ દંપતી વર્ષથી લંડન રહેતા હતા. પરંતુ વૈભવન પટેલના પત્ની જીનલ
પટેલ ગર્ભવતિ હોવાથી તેમની સીમંતવિધિ કરવા અમદાવાદ આવ્યા હતા. તા. ૫-૬-૨૦૨૫ને
ગુરૃવારના રોજ સીમંતવિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓ ગુરૃવારે અમદાવાદથી લંડન
જઈ રહ્યા હતા ત્યારે દુર્ઘટનાનો ભોગ બન્યા હતા.