Get The App

ગુજરાત સરકારે અબજોના ખર્ચે કેનાલ બનાવી છતાં 50% જમીનને સિંચાઈ માટે નથી મળતું પાણી!

વર્ષો પછી પણ લાખો ખેડૂતો ટ્યુબવેલ-કુવાના ભરોસે

Updated: Mar 7th, 2024

GS TEAM

Google News
Google News
ગુજરાત સરકારે અબજોના ખર્ચે કેનાલ બનાવી છતાં 50% જમીનને સિંચાઈ માટે નથી મળતું પાણી! 1 - image

Gandhinagar News: ગુજરાતમાં કરોડો-અબજોના ખર્ચા પછી પણ આખા રાજ્યમાં કેનાલ નેટવર્ક નહીં હોવાથી 51.68 લાખ હેક્ટર વિસ્તારની જમીનને સરકારી સિંચાઇના પાણી મળતાં નથી. આ ખેડૂતો ટ્યુબવેલ અને ખાનગી કુવાના ભરોસે બેઠાં છે. એકતરફ રાજ્યના મોટાભાગના જિલ્લામાં ભૂતળના જળ ખતમ થઈ રહ્યાં છે, છતાં આજેપણ આટલા મોટા વિસ્તારની જમીનને કુવામાંથી પાણી ખેંચવું પડે છે.

ખેતીલાયક 97,86,800 હેક્ટર જમીન,46,18,026 હેક્ટરને સિંચાઈની સુવિધા

ગુજરાતમાં ઔદ્યોગિત વિકાસને ખેતી કરતાં વધુ મહત્ત્વ મળી રહ્યું હોવાનુ આ એકમાત્ર ઉદાહરણ છે. જળસંપત્તિ વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર, રાજ્યમાં ખેતીલાયક વિસ્તાર 9786800 હેક્ટર છે, જે પૈકી સરકાર દ્વારા સિંચાઈ સુવિધા ધરાવતો વિસ્તાર 46,18,026 હેક્ટર છે. બાકીના 51,68,674 હેક્ટર વિસ્તારને સરકારી સિંચાઈ કે કેનાલ નેટવર્કના પાણીનો લાભ મળતો નથી. ગુજરાતમાં સિંચાઇની અનેક યોજનાઓ કાર્યરત છે. સૌરાષ્ટ્રમાં નર્મદાના પાણી આધારિત સૌની યોજના અને ઉત્તર ગુજરાતમાં સુજલામ-સુફલામ યોજના કાર્યરત છે. છતાં આટલી મોટી સંખ્યાના વિસ્તારને હજીપણ ખાનગી કુવા કે ટ્યુબવેલના પાણી વાપરવા પડી રહ્યાં છે. સરકાર દ્વારા દર વર્ષે નવા બેરેજ, ચેકડેમ, ઉદ્દવહન પાઈપલાઈન તેમજ તળાવની ક્ષમતા વધારવાના કામો થાય છે છતાં બઘાંને પહોંચી શકે તેટલું સરફેસ જળ મળતું નથી.


સિંચાઈથી બાકાત રહેતા જિલ્લાઓનો વિસ્તાર

જિલ્લોબાકી વિસ્તાર (હેક્ટર)
અમદાવાદ138454
ગાંધીનગર145109
બનાસકાંઠા432794
પાટણ91048
મહેસાણા167527
પંચમહાલ70597
છોટાઉદેપુર121996
મહીસાગર60216
દાહોદ130191
સાબરકાંઠા156483
અરવલ્લી134451
નર્મદા55414
આણંદ9414
વડોદરા59316
ભરૂચ51138
ખેડા72014
નવસારી15878
વલસાડ76111
સુરત25892
તાપી79548
ડાંગ35675
અમરેલી412275
પોરબંદર65546
સુરેન્દ્રનગર323666
ગીર સોમનાથ139885
કચ્છ396604
ભાવનગર227712
બોટાદ60821
જૂનાગઢ223577
દ્વારકા186304
રાજકોટ482757
મોરબી238916
જામનગર282245
કુલ5168674