વડોદરામાં સુરસાગર પાસે લારીઓ સામે થતા નાના-મોટા વાહનો ખસેડવા મ્યુ. કમિશનર સમક્ષ માંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા શહેરની મધ્યમાં આવેલા સુરસાગરના પાતાળેશ્વર મહાદેવ મંદિર સામે ખાણીપીણીની 30-35 જેટલી લારીઓ ઉભી રાખવા બાબતે દબાણ શાખાની ચીમકી બાદ તમામ લારીવાળાઓએ મ્યુ. કમિશનર કચેરીએ ઉગ્ર રજૂઆતો કરી દબાણ અંગે પાર્ક થતા વાહનો બંધ કરવા માગણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે શહેરના સુરસાગર તળાવ પાતાળેશ્વર મહાદેવ મંદિરની સામે ખાણી પીણીની 30-35 જેટલા લારીધારકો વેપાર ધંધો કરે છે. જ્યારે લારીઓની સામે લોકો પોતાના નાના-મોટા વાહનો પાર્ક કરે છે. આ રોડ પર આજ દિન સુધી કોઈ અકસ્માત સર્જાયો નહિ હોવાનું લારી ધારકોએ જણાવ્યું હતું.
પરંતુ દબાણ શાખાની ચીમકી બાદ લારીધારકો મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને રૂબરૂ મળ્યા હતા. તમામે રજૂઆત કરી હતી કે, લારીઓ સામે પાર્ક કરાતા વાહનો કેમ હટાવતા નથી તેવો પ્રશ્ન કર્યો હતો. દબાણ શાખા દ્વારા આસપાસની ગલીઓમાં જ લારીઓ પાર્ક કરીને વેપાર ધંધો કરવા જણાવ્યું હતું. પરંતુ ગલીઓ સાંકડી હોવાથી વેપાર ધંધો કરવો શક્ય નથી. તેવી રજૂઆત તમામ લારી ધારકોએ કમિશનર સમક્ષ કરી હતી.








