Get The App

સથરા-ત્રાપજ વચ્ચેના બિસ્માર રસ્તાને નવો બનાવવા માંગણી

Updated: Jun 10th, 2025

GS TEAM


Google News
Google News
સથરા-ત્રાપજ વચ્ચેના બિસ્માર રસ્તાને નવો બનાવવા માંગણી 1 - image


- 40 હજારથી વધુ સ્થાનિકો અને શ્રધ્ધાળુઓને ઉપયોગી

- જિલ્લા મથક ભવાનગર જવા માટે એકમાત્ર રોડ છતાં તંત્રની ઉદાસીનતા

સથરા : તળાજા તાલુકાના સથરા-ત્રાપજ વચ્ચેનો રસ્તો ખખડધજ થઈ જતાં સ્થાનિક ગ્રામજનો, શ્રધ્ધાળુઓ અને વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ત્રાપજથી સથરાને જોડતો પાંચ કિ.મી.નો રસ્તો છેલ્લા ઘણાં સમયથી બિસ્માર થઈ ગયો છે. જેના કારણે સથરા તેમજ આજુબાજુના ભારાપરા, મથાવડા, તખતગઢ, પાદરી, તરસરા, ઈરોસા સહિતના ગામોના લગભગ ૪૦ હજારથી પણ વધુ લોકો તેમજ સિધ્ધનાથ મહાદેવ, ગણેશ મંદિર જેવા ધાર્મિક સ્થળોએ દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુઓ માટે પણ આ રસ્તો ખૂબ જ ઉપયોગી છે. આ ગામોના લોકોને જિલ્લા મથક ભાવનગર જવા માટે સથરા-ત્રાપજનો એક માત્ર રસ્તો જોડતો હોય, ખખડધજ રોડના કારણે લોકોને ભારે હાડમારી વેઠવી પડે છે. અહીંથી કોઈ સરકારી એસ.ટી. બસ ચાલતી ન હોય, ખરાબ રસ્તાના કારણે ખાનગી વાહનધારકો પણ વધુ ભાડા વસૂલતા હોવાની રાવ ઉઠી છે. વધુમાં આ રસ્તો છેલ્લે ૨૦૧૬માં બનાવવામાં આવ્યો હતો. નવ વર્ષમાં રોડની હાલત ખખડધજ થઈ ગઈ હોય, સથરા ગામના આગેવાનોએ જિલ્લા પંચાયતના સદસ્ય અને બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન, જિલ્લા ભાજપ પ્રમુખ, ધારાસભ્ય વગેરેને લેખિતમાં રજૂઆત કરી નવો માર્ગ બનાવવાની માંગણી ઉચ્ચારી છે.

Tags :