Get The App

MSUની ફેકલ્ટી ઓફ કોમર્સમાં 10 હજાર વિદ્યાર્થીઓએ પ્રવેશ ફોર્મ ભર્યા છે ત્યારે બેઠક વધારવાની માગ : ઉગ્ર આંદોલનની ચીમકી

Updated: Jun 9th, 2025

GS TEAM


Google News
Google News
MSUની ફેકલ્ટી ઓફ કોમર્સમાં 10 હજાર વિદ્યાર્થીઓએ પ્રવેશ ફોર્મ ભર્યા છે ત્યારે બેઠક વધારવાની માગ : ઉગ્ર આંદોલનની ચીમકી 1 - image


M S university Vadodara : વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સમાં નવા વિદ્યાર્થીઓનો પ્રવેશ 60 ટકાએ અટકેલ છે. પરંતુ નવા 10 હજાર જેટલા વિદ્યાર્થીઓએ એડમિશન માટે ફોર્મ ભર્યા છે. આમ કોમર્સ ફેકલ્ટીમાં સીટ વધારવી અત્યંત જરૂરી હોવાનું એનએસયુઆઈ દ્વારા રજૂઆત કરીને યુનિ.ના વાઈસ ચાન્સેલર અને કોમર્સ ફેકલ્ટીના ડીનને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. હાલમાં એડમિશન પ્રક્રિયા ચાલુ છે. અન્યથા એનએસયુઆઈ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં નવા આશરે 10 હજાર વિદ્યાર્થીઓથી પણ વધારે વિદ્યાર્થીઓએ એડમિશન માટે એમ.એસ.યુનિવર્સિટીમાં બીકોમ માટે ફોર્મ ભર્યા છે. પણ યુનિવર્સિટીએ 6400 જ સીટો બહાર પાડેલ છે. એનએસયુઆઈ દ્વારા ઘણી વાર સત્તાઘીશોને સીટ વધારા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારનો સીટ વધારા માટેનો નિર્ણય લીધો નથી. હાલ પ્રવેશની પ્રક્રિયા પૂર્ણ થવા જઈ રહી છે. જે વિદ્યાર્થીઓ એમ.એસ.યુનિવર્સિટીમાં ભણવા માંગી રહ્યા છે તે વિદ્યાર્થીઓ આપણી નિષ્કાળજીના લીધે હવે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન લઇ રહ્યા છે. ભૂતકાળમાં આજ ફેકલ્ટીમાં 9 હજાર જેટલા એડમિશન આપેલા છે તો હવે કેમ નહીં ? એવો પણ એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલાએ પ્રશ્ન કર્યો હતો. આ પ્રકારના નિર્ણયથી બીજી યુનિવર્સિટીઓને ફાયદો થઈ રહ્યો છે. માટે આ પ્રકારના નિર્ણય લેવામાં આવી રહ્યો છે અને વિદ્યાર્થીઓ સાથે આપ દ્વારા અન્યાય થઇ રહ્યો છે.

જોકે, એમ.એસ.યુનિવર્સિટીની સ્થાપના પાછળ મહારાજા સયાજીરાવ ગાયકવાડનું પણ સ્વપ્ન હતું કે વડોદરા શહેર જિલ્લાનો વિદ્યાર્થી ઉચ્ચ અભ્યાસ માટે બહારગામ ન જાય. જેથી કોમર્સની બેઠકોમાં વધારો કરવામાં આવે કેવી લેખિત રજૂઆત કરવામાં આવી હતી. પરિણામે જેથી વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળી રહે. અન્યથા એનએસયુઆઈ દ્વારા આવનારા દિવસોમાં ઉગ્ર વિરોધ સત્તાધીશો સામે કરાશે. આ બાબતે કોમર્સ ફેકલ્ટીના ડીનને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

Tags :