Get The App

સુરત મહાપાલિકા કચેરીની જગ્યા વક્ફ મિલકત તરીકે નોંધવાની માંગ અંશતઃ મંજુર

ગુજરાત વક્ફ બોર્ડની બેઠકમાં સુરતના અરજદાર અબ્દુલ્લાહ જરૃલ્લાહે અરજી કરી હતીઃ મુઘલકાળમાં મિલકત હુમાયુ સરાય નામે ઓળખાતી

મુઘલકાળમાં હુમાયુ સરાય તરીકે ઓળખાતી

Updated: Nov 27th, 2021

GS TEAM


Google News
Google News
સુરત મહાપાલિકા કચેરીની જગ્યા વક્ફ મિલકત તરીકે નોંધવાની માંગ અંશતઃ મંજુર 1 - image



સુરત

ગુજરાત વક્ફ બોર્ડની બેઠકમાં સુરતના અરજદાર અબ્દુલ્લાહ જરૃલ્લાહે અરજી કરી હતીઃ મુઘલકાળમાં મિલકત હુમાયુ સરાય નામે ઓળખાતી

મુઘલકાળ દરમિયાન હુમાયુ સરાયના નામે ઓળખાતી તથા હાલમાં સુરત મહાનગર પાલિકા ની હાલમાં કાર્યરત કચેરીની જગ્યાને વકફ મિલકત તરીકે નોંધણી કરવા સહિત અન્ય માંગ કરનાર સુરતના અરજદારની અરજીને ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ દ્વારા અંશતઃ મંજુર કરી વક્ફ મિલકત તરીકે નોંધવા તથા વક્ફના હિતમાં ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ વહીવટકર્તા તરીકે રાખવા હુકમ કરવામાં આવ્યો છે. જ્યારે વકફ મિલકત સુચિત ટ્રસ્ટમાં નોધવા સહિતની અન્ય માંગને નકારી કાઢવામાં આવી છે.

સુરતના સોદાગરવાડ ખાતે રહેતા અરજદાર અબ્દુલ્લાહ જરુલ્લાહે સુરત શહેર વોર્ડ નં.11 સીટી સર્વે નં.1504માં આવેલી મુગલસરાય તરીકે ઓળખાતી મિલકત કે જેમાં કાર્યરત સુરત મ્યુ.કોર્પોરેશનની કચેરીની જગ્યાને વકફ મિલકત તરીકે નોધણી કરવા સહિત અન્ય માંગ કરતી અરજી ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં કરી હતી. માર્ર્ચ-2016માં  કરેલી અરજીના સમર્થનમાં હાલમાં પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝીયમ ઓફ વેસ્ટર્ન ઈન્ડીયામાં રાખવામા આવેલી આ ઈમારતની તખ્તી સહિત અન્ય ઐતિહાસિક દસ્તાવેજી પુરાવા નોંધ રજુ કર્યા હતા.

અત્રે નોંધનીય છેકે સુરત મહાનગર પાલિકાએ 1867થી આ વાદગ્રસ્ત મિલકતનો કબજો મેળવ્યો હતો. પરંતુ જુની મેટર હોય વધુ રેકર્ડ પ્રાપ્ત ન હોવા છતાં સુરત મહાનગર પાલિકાની કમિટીના પ્રોસિડીંગ્સના ઉતારાની નકલો રજુ થઇ હતી. તાજેતરમાં ગુજરાત વકફ બોર્ડની મળેલી બેઠકમાં અરજદારની અરજીને અંશતઃ મંજુર કરીને સુરત મ્યુ.કોર્પોરેશનની કચેરી વાળી મિલકતને વકફ અધિનિયમની કલમ-૩૬ હેઠળ વકફ મિલકત તરીકે નોંધીને હુમાયુ સરાય વકફ મિલકત તરીકે નોધીને વક્ફના હિતમાં ગુજરાત રાજ્ય વકફ બોર્ડ વહીવટકર્તા તરીકે રાખવા હુકમ કરવામાં આવ્યો છે.

1857ના બળવા વખતે અંગ્રેજોએ મુઘલસરાયનો ઉપયોગ કેદીઓને રાખવા માટે કર્યો હતો

(પ્રતિનિધિ દ્વારા)       સુરત,શનિવાર

હાલમાં સુરત મહાનગર પાલિકાની કાર્યરત કચેરીની જગ્યામાં મુઘલકાળમાં મુગલીસરાય તરીકે મુસાફરખાના તરીકે ઉપયોગમાં લેવાતી હતી. પરંતુ 1857ના બળવા વખતે અંગ્રેજ સરકારે આ સરાયનો ઉપયોગ કેદીઓ રાખવા કર્યો હતો. જેનો મુસ્લિમ સમાજે વિરોધ અને વકફ કરનારની મરજી જોતા સને 1862માં સરાય તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો.

મે-1867માં સુરતના તત્કાલીન કલેકટર મેજીસ્ટ્રેટ ટી.સી.હોપે સરાયના અમુક ભાગમાં મ્યુ.કચેરી શરૃ કરવા પરવાનગી માંગતો પત્ર લખ્યો હતો. પરંતુ મે.એચ.ડબલ્યુ.જેકોમ્બે ચીફ સેક્રેટરી ટુ ગર્વન્મેન્ટને પત્ર લખીને મ્યુ.કચેરી શરૃ કરવી વકફનના સિધ્ધાંતનોની વિરુધ્ધ હોઈ પરવાનગી આપવા ઈન્કાર કર્યો હતો. તેમ છતાં સરાયનો ચાર્જ તેમની પાસે હોઈ સુરતના મુસ્લિમ આગેવાનો તથા મુસાફરખાનામાં હિત ધરાવતી વ્યક્તિઓનો મત લેવા જણાવ્યું હતુ.

 બંધારણ અને વકફ મિલકત સૂચિત ટ્રસ્ટમાં નોંધવાની માંગણી નામંજુર

અરજદારે રજુ કરેલા બંધારણ અને વકફ મિલકત સુચિત ટ્રસ્ટમાં નોધવાની માંગણી નામંજુર કરી છે. જે મુજબ આ મિલકત બાદશાહ શાહજહાંના શાસનકાળ દરમિયાન તેમની પુત્રી જહાંઆરા પાસે સુરતની જાગીર હતી તેમના વિશ્વાસ ઈશાકબેગ યઝદી ઉર્ફે હકીકતખાન હીજરી સન 1054 ઈસ.1644માં રૃ.33081ના ખર્ચે હુમાયુ સરાય બનાવી વકફ કરી હતી. આમ એ મિલકત જે તે સમયના શાસનકર્તાએ વકફ કરી છે.  અરજદાર વ્યક્તિગત રીતે રજુ કરેલ સુચિત વકફમાં વાદગ્રસ્ત મિલકત નોધવી વકફના હિતમાં નથી. અરજદારે રજુ કરેલા મુતવલ્લીની વિગતો મુસ્લિમ સમાજના તમામ વર્ગોનો પ્રતિનિધિત્વ કરતા નથી. જે તે સમયે વકફ મિલકત સમગ્ર મુસ્લિમ સમાજ માટે વક્ફ કરેલી છે. જ્યારે અરજદારે રજુ કરેલા બંધારણમાં અનુગામની મુતવલ્લી નિમવાની રીત વારસાગત સ્વરૃપે હોઈ વકફના હિતમાં નથી.

j

Tags :