Get The App

સુરેન્દ્રનગરની નર્મદાની કેનાલોમાં સિંચાઈ માટે પાણી આપવા માંગ

Updated: Nov 17th, 2025

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગરની નર્મદાની કેનાલોમાં સિંચાઈ માટે પાણી આપવા માંગ 1 - image

- દુધરેજથી પસાર થતી ડી-૧ પાણી છોડવા માટે ખેડૂતોએ માંગ કરી

- હાલ રવિ પાકના વાવેતરની શરૂઆત ખેડૂતોએ કરી છે ત્યારે પિયત માટે અને સિંચાઈ માટે કેનાલોનું રીપેરીંગ કરી અને પાણી આપવા ખેડૂતોએ માંગ કરી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં ઓક્ટોબર મહિનામાં અને નવેમ્બર મહિનામાં જે માવઠું પડવા પામ્યો છે જેને લઇને કપાસ મગફળી જેવા પાકોને વ્યાપક નુકસાન થયું છે ત્યારે બીજી તરફ મોઢામાં આવેલો ખેડૂતોનો કોળિયો છીનવાઈ ગયો છે ખેડૂત પડી ભાગ્યો છે ત્યારે હવે ઊભા થવા માટે રવિ પાકનું નવી આશા સાથે વાવેતર કરી રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં જીરું, ઘઉં, વરિયાળી, ઘાસચારો, શાકભાજી જેવા પાકોનું વાવેતર ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.

પરંતુ નર્મદા વિભાગ દ્વારા માઇનોર કેનાલોમાં પાણી છોડવાનું શરૂ કરવામાં ન આવતા કાંઈ ના કાંઈ પ્રકારે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતો પોતે મહેનત કરી અને પાકનું વાવેતર કરી રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા સિંચાઈ માટેનું પાણી પૂરું પાડવામાં ન આવતા તંત્રની કામગીરી સામે ખેડૂતોએ પણ હવે સવાલ ઊભા કર્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને હાલ પિયત અને સિંચાઈ માટેના પાણીની તાતી જરૂર છે ત્યારે નર્મદાની કેનાલોમાં પાણી આપવામાં આવતું નથી. સુરેન્દ્રનગરના દુધરેજથી બાકરથળી અને આગળના ચારથી વધુ ગામમાં પસાર થતી ડી૧ માઇનોર કેનાલમાં પિયત અને સિંચાઈનું પાણી છોડવા ખેડૂતોએ માંગ કરી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ ગામના ખેડૂતો આ કેનાલમાંથી પિયતનું પાણી મેળવી રહ્યા છે પરંતુ આગલા વર્ષે આ કેનાલ નો રીપેરીંગ કામ કરવામાં આવ્યું ત્યારે સ્થાનિક ખેડૂતોએ વ્યવસ્થિત રીપેરીંગ કરવા નર્મદા વિભાગને રજૂઆત કરી હતી તે છતાં પણ કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં ન આવતા ફરી પોપડા ઉખડવા લાગ્યા છે. રીપેરીંગ બાદ પણ કેનાલ જર્જરીત હાલતમાં જ છે ત્યારે રીપેરીંગ કરી અને જીરું, ઘઉં, વરીયાળી અને રવિ પાકના વાવેતર સમયે સિંચાઈ માટેનું પાણી આપવા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે ત્યારે અધિકારીઓ સમક્ષ પણ ખેડૂતોએ ટેલીફોનિક રીતે પાણી છોડવાની રજૂઆત કરી છે પહેલા કેટલા રીપેરીંગ કામ કરી અને ત્યારબાદ પાણી છોડવામાં આવે તો ખેડૂતોના ખેતરોમાં પણ પાણી જમે નહીં અને વ્યવસ્થિત સિંચાઈ માટે પાણીનો ઉપયોગ ખેડૂતો કરી શકે આ સંદર્ભે હવે નર્મદા વિભાગના અધિકારીઓ પણ એક્શનમાં આવી અને આવી નબળી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરે તે પણ જરૂરી બન્યું છે.