Gujarat

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે લોહીલુહાણ, ત્રિપલ અકસ્માતમાં કારનો બુકડો બોલાયો, 4 લોકોના મોત

By GS TEAM
7 Jun 20262 mins read
TukuTouch Logo
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર મોડી રાત્રે એક અત્યંત હૃદયદ્રાવક અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. પાદરાના સમયાલા નજીક બસ, કાર અને આઈશર ટ્રક વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર અર્થે વડોદરાની જુદી-જુદી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર, તમામ ઇજાગ્રસ્તોની સ્થિતિ હાલ અત્યંત નાજુક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે લોહીલુહાણ, ત્રિપલ અકસ્માતમાં કારનો બુકડો બોલાયો, 4 લોકોના મોત

Delhi-Mumbai Express Highway Accident:  દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર મોડી રાત્રે એક અત્યંત હૃદયદ્રાવક અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. પાદરાના સમયાલા નજીક બસ, કાર અને આઈશર ટ્રક વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે  કારમાં સવાર અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર અર્થે વડોદરાની જુદી-જુદી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર, તમામ ઇજાગ્રસ્તોની સ્થિતિ હાલ અત્યંત નાજુક છે.




રોંગ સાઈડમાં ડ્રાઈવિંગ કરવા જતાં બની ઘટના

પ્રાથમિક તપાસ અને સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ અકસ્માત ગત મોડી રાત્રે સર્જાયો હતો, જેની વિગતો આજે સવારે સામે આવી છે. અકસ્માતનો ભોગ બનેલી કારમાં કુલ 8 મુસાફરો સવાર હતા. આ તમામ લોકો અમદાવાદ-મહેસાણા તરફ જઈ રહ્યા હતા. જો કે, હાઈવે પર આગળ વધતી વખતે કાર ચાલકે ભુલથી અથવા ઉતાવળમાં ગાડી રોંગ સાઈડમાં (સામેના ટ્રેક પર) ચડાવી દીધી હતી. હાઈવે પર પૂરપાટ ઝડપે આવી રહેલી બસ અને આઈશર ટ્રક સાથે ઈકો કાર ધડાકાભેર અથડાતાં આ ભયંકર દુર્ઘટના સર્જાઈ હતી.


તમામ મૃતકો પાદરાના અંપાડ ગામના હોવાની આશંકા

અકસ્માતનો ભોગ બનેલા અને ઈકો કારમાં સવાર તમામ લોકો પાદરા નજીક આવેલા અંપાડ ગામના હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવ રાહતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડવાની તજવીજ હાથ ધરી હતી. અંપાડ ગામના એક જ પરિવાર અથવા પરિચિતોના મોતના સમાચાર મળતાં જ સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ હાલ આ મામલે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે.