Get The App

જિલ્લાના બે પુલ ક્ષતિગ્રસ્ત જણાતા ભારે વાહન માટે બંધ કરવા નિર્ણય

Updated: Jul 16th, 2025

GS TEAM

Google News
Google News
જિલ્લાના બે પુલ ક્ષતિગ્રસ્ત જણાતા ભારે વાહન માટે બંધ કરવા નિર્ણય 1 - image


- માર્ગ અને મકાન વિભાગના તજજ્ઞોની ટીમની તપાસમાં 

- વર્ષો જૂના મહુવા-ઉમણિયાવદર વચ્ચે અને વરતેજ-વલ્લભીપુર વચ્ચે માઈનોર બ્રિજમાં કેપમાં ક્રેક અને સ્લેબમાં સ્પોટ જણાયા 

ભાવનગર : જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) હસ્તકના બે માઈનોર પુલ ક્ષતિગ્રસ્ત જણાતા ભારે વાહનો માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું વિશ્વસનીય વર્તુળોએ જણાવ્યું હતું. 

 વડોદરા જિલ્લામાં ગંભીરા બ્રિજનો હિસ્સો તૂટી પડતા ભાવનગર જિલ્લામાં માર્ગ-મકાન વિભાગ હસ્તકના વિવિધ બ્રિજની સ્થિતિ અંગે ગાંધીનગરની ડિઝાઈન સર્કલ, કન્સલ્ટન્સી તથા માર્ગ-મકાન વિભાગની સંયુક્ત ટીમ દ્વારા ગયા શનિવારથી ચકાસણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હાલ આ સર્વે ચાલી રહ્યો છે. 

 દરમિયાનમાં, ઈ.સ. ૧૯૭૯માં બનેલ મહુવા-ઉમણિયાવદર પુલની ચકાસણી કરવામાં આવી હતી. એ જ રીતે વરતેજ-વલ્લભીપુર વચ્ચે ઘેલો નદી પરના બ્રિજમાં કેપમાં ક્રેક તથા સ્લેબમાં સ્પોટ જોવા મળતા આ બન્ને બ્રિજ ભાર વાહનોની અવર-જવર માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, હળવા વાહનો પસાર થઈ શકશે. આ અંગેનું જાહેરનામું આવતીકાલ તા. ૧૬ના રોજ પ્રસિદ્ધ થવાની સંભાવના છે.  

ભારે વાહનો વલ્લભીપુર-માઢિયા વાયા આણંદપર માર્ગનો ઉપયોગ કરી શકશે

વરતેજ-વલ્લભીપુર વચ્ચે ઘેલો નદી પરનો પુલ ભારે વાહનો માટે બંધ કરવા નિર્ણય લેવાયો છે ત્યારે તેના વૈકલ્પિક માર્ગ તરીકે વલ્લભીપુર-માઢિયા વાયા આણંદપર માર્ગનો ઉપયોગ કરી શકાશે. તેમ વર્તુળોએ જણાવ્યું હતું.  

Tags :