Get The App

૫૦ ટકા સુધી માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા નિર્ણય

સ્થાનિક વિદ્યાર્થીઓનો સમાવેશ કરવા માટે વધુ ૪૫૦ બેઠક વધારી

Updated: Jun 10th, 2025

GS TEAM


Google News
Google News
૫૦ ટકા સુધી માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા નિર્ણય 1 - image

વડોદરા,એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ માટે ધસારો વધતા છેવટે વધુ સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તે માટે જેના ૫૦ ટકા સુધીના માર્કસ છે, તેઓને પણ પ્રવેશ આપવાનો નિર્ણય થયો છે.

આ નિર્ણય કરવાને લીધે કોમર્સમાં હવે આશરે ૪૫૦ બેઠકો વધશે. ગયા વર્ષે કોમર્સ એફવાય બીકોમમાં અંદાજે ૬૪૦૦ને એડમિશન મળ્યું હતું, આ વર્ષે બેઠકો વધતા આશરે ૬૮૫૦ને પ્રવેશ મળી શકશે.

ગઇકાલે એફવાય બીકોમની બેઠકોમાં વધારો કરવાની વિદ્યાર્થીઓએ માગણી કરી હતી, અને વાલીઓને સાથે રાખીને હેડ ઓફિસે દેખાવો કરવામાં આવ્યા હતા. જેમાં ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. કોમર્સમાં અગાઉ ૬૪૩૧ બેઠક પર પ્રવેશ આપવાનું નક્કી થતા ત્રીજા રાઉન્ડમાં જ તમામ બેઠકો ભરાય જાય તેવી સ્થિતિ ઊભી થઇ હતી અને ૫૪ ટકાએ પ્રવેશ અટક્યો હતો, પરંતુ સ્થાનિક વિદ્યાર્થીઓનો  સમાવેશ થઇ શકે તે માટે ઉક્ત નિર્ણય લીધો હતો.

Tags :