જામનગર નજીક નાઘેડીમાં રહેતો અને દારૂનો નશો કરવાની ટેવ ધરાવતો યુવાન બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યા બાદ અપમૃત્યુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીક નાઘેડીમાં સ્વામિનારાયણ ગુરુકુળ ની બાજુમાં રહેતા નાનજીભાઈ મોહનભાઈ જાદવ નામના 45 વર્ષના કોળી યુવાનને છેલ્લા કેટલાક સમયથી દારૂ પીવાની ટેવ હતી, અને વારંવાર ગમે ત્યાં દારૂનો નશો કરીને સુઈ જતા હતા. જે દરમિયાન ગઈકાલે પોતે સ્વામિનારાયણ ગુરુકુળ નજીક બેશુદ્ધ હાલતમાં મળી આવ્યો હતો. જે અંગે મૃતકના મોટાભાઈ ભીખુભાઈ મોહનભાઈ જાદવ ને જાણ થતાં તેણે પોતાના ભાઈને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે પોલીસને જાણ કરતાં સિક્કાના એએસઆઈ સી.ટી. પરમાર બનાવના સ્થળે અને ત્યારબાદ જીજી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને નાનજીભાઈના મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.









