Gujarat

ધંધુકા-રાણપુર હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત

By GS TEAM
4 Jun 20262 mins read
TukuTouch Logo
ધંધુકા-રાણપુર હાઈવે પર કિશાન જીન નજીક આજે (ચોથી જૂન) એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલી સામસામેની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ગમખ્વાર દુર્ઘટનામાં કારમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એક મહિલા સહિત પરિવારના અન્ય ત્રણ સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ધંધુકા-રાણપુર હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત

Dhandhuka-Ranpur Road Accident: ધંધુકા-રાણપુર હાઈવે પર કિશાન જીન નજીક આજે (ચોથી જૂન) એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલી સામસામેની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ગમખ્વાર દુર્ઘટનામાં કારમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એક મહિલા સહિત પરિવારના અન્ય ત્રણ સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

લીમખેડાના પરિવારને અકસ્માત નડ્યો

મળતી માહિતી અનુસાર, કારમાં સવાર કમનસીબ પરિવાર મૂળ લીમખેડાનો વતની હતો. આ પરિવાર પોરબંદરથી પોતાના વતન લીમખેડા તરફ જઈ રહ્યો હતો, આ દરમિયાન ધંધુકા-રાણપુર હાઈવે પર કાળ બનીને આવેલી ટ્રકે કારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં મુખ્યમંત્રીના મતવિસ્તારમાં ઈન્દોર જળકાંડ જેવી સ્થિતિ, દૂષિત પાણીને લીધે 1000થી વધુ બીમાર

પતરા કાપી ઈજાગ્રસ્તને બહાર કાઢ્યા

અકસ્માતની કરુણતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઈજાગ્રસ્તો કારમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ધંધુકા 108 એમ્બ્યુલન્સની ટીમ અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થાનિક લોકોની મદદથી ભારે જહેમત બાદ કારના પતરા કાપીને ઈજાગ્રસ્તને બહાર કાઢ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.