મેળાને ધ્યાનમાં લઈ તા.17,18મીએ વડોદરાથી ડાકોર પૂનમ સ્પેશિયલ ટ્રેન દોડશે
સુરત
હોળી અને પૂનમના તહેવાર નિમિત્તે ડાકોરના રણછોડરાય મંદિરે યોજાનારા મેળાને ધ્યાનમાં લઈ શ્રદ્ધાળુઓની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ તા. 17 અને તા. 18 માર્ચના રોજ વડોદરા-ડાકોર વચ્ચે વિશેષ ટ્રેન દોડાવશે. આ ટ્રેન આણંદ થઈને દોડશે.
આ સ્પેશિયલ ટ્રેન વડોદરા-ડાકોર સ્પેશિયલ (091490) વડોદરાથી સવારે 10:35 વાગ્યે ઉપડશે અને સવારે 11:07 વાગ્યે આણંદ, 11:39 વાગ્યે ઉમરેઠ અને 12:05 વાગ્યે ડાકોર પહોંચશે.
વળતી દિશાની ટ્રેન (09150) ડાકોર-વડોદરા સ્પેશિયલ ડાકોરથી 15:40 વાગ્યે ઉપડશે અને 15:47 વાગ્યે ઉમરેઠ, 16:11 વાગ્યે આણંદ અને ૧૭થ૦૫ વાગ્યે વડોદરા પહોંચશે. આ ટ્રેનોનું પેસેન્જર ભાડું મેલ-એક્સપ્રેસ મુજબ રહેશે, એમ વડોદરા ડિવિઝનના પીઆરઓ પ્રદીપ શર્માએ જણાવ્યું હતું.
વલસાડ અને મુઝફ્ફરપુર વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેનના 4 ફેરા ચલાવશે
પશ્વિમ રેલવે મુસાફરોની સુવિધા માટે અને તહેવારોની સિઝનમાં
મુસાફરોના વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને વલસાડ-મુઝફ્ફરપુર એક્સપ્રેસ સ્પેશિયલ
ટ્રેનના 4 ફેરા ચલાવશે.
કેશોદ સ્ટેશને બાંદ્રા ટમનસ-વેરાવળ એક્સપ્રેસનું 6 મહિના વધારાનું સ્ટોપેજ
મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ છ મહિનાના સમયગાળા
માટે પ્રાયોગિક ધોરણે કેશોદ સ્ટેશન પર બાંદ્રા ટમનસ-વેરાવળ એક્સપ્રેસ (19217-18)નું વધારાનું સ્ટોપેજ આપવાનો નિર્ણય લીધો છે.