પાલજ ગામમાં લગ્નનું આમંત્રણ આપવા ગયેલા દંપતિ ઉપર હુમલો
ગાંધીનગર શહેર નજીક આવેલા
મહિલાની ફરિયાદના આધારે ચિલોડા પોલીસે પિતા પુત્રી સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે
અમદાવાદના કોતરપુર ખાતે રહેતા કેસરબેન મહેશભાઈ રાવળ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી
હતી કે, ગત
શુક્રવારના રોજ તેઓ પાલજ ખાતે રહેતા તેમના માસી કાન્તાબેન રાવળના ઘરે લગ્નનું
આમંત્રણ આપવા માટે ગયા હતા તેમની સાથે તેમના પતિ મહેશભાઈ પણ આવ્યા હતા.
આ દરમિયાન કાંતાબેનના દિયર રામાભાઈ કેશાભાઈ રાવળ પણ ત્યાં આવ્યા હતા અને અગાઉ થયેલી પોલીસ ફરિયાદ સંદર્ભે ઊંચા અવાજે વાત કરીને પાલજ ગામમાં નહીં આવવા માટે કહ્યું હતું ત્યારબાદ આ દંપતિએ તેમણે કોઈ કેસ ન કર્યો હોવાનું કહ્યું હતું અને તેમને યોગ્ય વર્તન કરવા માટે પણ જણાવ્યું હતું પરંતુ રામાભાઇ દ્વારા ગાળો બોલવાનું શરૃ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમની દીકરી ટીકીબેન રાવળ પણ ત્યાં આવી ગઈ હતી અને કેસરબેન સાથે બોલાચાલી કરીને તેમને લાફો મારી દીધો હતો. આ તકરારને પગલે ત્યાં પહોંચી ગયેલા આસપાસના લોકોએ દરમિયાનગીરી કરી હતી અને રામાભાઈ અને ટીકીબેનને ત્યાંથી લઈ ગયા હતા તેઓ જઈ રહ્યા હતા ત્યારે, રામાભાઈએ કેશરબેન અને મહેશભાઈને ધમકી આપી કે જો તેઓ પાલજ પાછા આવશે તો તેમને જીવતા છોડવામાં આવશે નહીં. જેથી આ સંદર્ભે હાલ ચિલોડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.