Get The App

અતાપી અને વડોદરા કોર્પોરેશન તંત્રની લાપરવાહીના કારણે પૂર્વ વિસ્તારને પાણી નહીં મળતું હોવાનો કોર્પોરેટરનો આક્ષેપ

Updated: Jun 14th, 2025

GS TEAM


Google News
Google News
અતાપી અને વડોદરા કોર્પોરેશન તંત્રની લાપરવાહીના કારણે પૂર્વ વિસ્તારને પાણી નહીં મળતું હોવાનો કોર્પોરેટરનો આક્ષેપ 1 - image


Vadodara Corporation : વડોદરા શહેરના આજવા સરોવર ખાતે પાલિકા તંત્ર દ્વારા યોજાયેલી સત્યનારાયણ ભગવાનની કથામાં કોર્પોરેટર આશિષ જોશી પણ હાજર રહ્યા હતા. 

જેમાં આશિષ જોશીએ મીડિયા સાથેની વાતચીતમાં અતાપીના સંચાલકો દ્વારા કામ ડિલે થયું હોવાથી અને આજની તારીખે પણ તંત્ર દ્વારા પાઇપ લાઇન નાખવાનું કામ બાકી હોવાથી પૂર્વ વિસ્તારના લોકોને પાણીની તકલીફ સહન કરવી પડે છે. તેમણે કહ્યું કે આજવા સરોવરનું લેવલ ઓછું થઇ રહ્યું છે.

 પૂર્વ વિસ્તારની ટાંકીમાં પાણીની બહુ ઘટ પડી રહી છે ત્યારે આ સંજોગોમાં વડોદરા શહેર પર મેઘરાજા મહેરબાન થાય અને વડોદરાના આજવા સરોવરનું લેવલ વધે તો જ પૂર્વ વિસ્તારને વધુ પાણી મળશે. બાકી દ્વારા અતાપીના અવરોધ અને તંત્રની લાપરવાહીના કારણે પૂર્વ વિસ્તારના રહીશોને પાણીની તકલીફ પડી રહી છે તે ચાલુ જ રહેશે.

Tags :