- બપોર સુધીમાં સુરતમાં કોરોનાના 35 નવા કેસ, માર્કેટ વિસ્તારમાં સંક્રમણ ફરી ન વધે તે માટે તકેદારી
પ્રતિનિધિ દ્વારા સુરત ગુરૂવાર
સુરતના ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં ફરીથી કોરોના નું સંક્રમણ વધે નહીં તે માટે મહાનગરપાલિકાએ ફ્લાય ઓવરબ્રિજ નીચે સેન્ટર શરૂ કરી દીધા છે. માર્કેટ વિસ્તારમાં આવતા લોકો શંકાસ્પદ લક્ષણો ધરાવે તેઓના ટેસ્ટિંગ થઈ રહ્યા છે.

સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે બપોર સુધીમાં સુરત શહેરમાં કોરોના નવા ૩૫ કેસ નોંધાયા છે. સુરત પાલિકાના અઠવા ઝોનમાં સૌથી વધુ કેસ જોવા મળી રહ્યા છે. હાલમાં કેસ ની પેટર્ન પ્રમાણે સૌથી વધુ ભીડ હોય તેવા ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ફરીથી સંક્રમણ થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. જેના કારણે મહાનગરપાલિકાએ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ટેસ્ટિંગ સેન્ટર શરૂ કર્યા છે. માર્કેટ વિસ્તારમાં આવેલા ફ્લાયઓવર બ્રિજ નીચે તંબુ બનાવીને મહાનગરપાલિકાએ કોરોનાના ટેસ્ટિંગ સેન્ટર શરૂ કર્યા છે. આ વિસ્તારમાં આવતા મુલાકાતીઓને શરદી ખાંસી કે તાવના લક્ષણ હોય તેવો ના કવિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.


