Get The App

સુરતમાં વધુ ૩૧ને કોરોના, એક્ટિવ કેસની સંખ્યા વધીને ૧૭૯

Updated: Mar 27th, 2023

GS TEAM

Google News
Google News
સુરતમાં વધુ ૩૧ને કોરોના, એક્ટિવ કેસની સંખ્યા વધીને ૧૭૯ 1 - image


- સિટીમાં કોરોનામાં  ૨૭ અને ગ્રામ્યમાં ચાર કેસ નોંધાયા ઃ ૧૫ દર્દીને હોસ્પિટલમાંથી રજા મળી

   સુરત :

સુરતમાંં કોરોનામાં આજે સોમવારે સિટીમાં ૨૭ અને સુરત જીલ્લામાં ૪ મળી કુલ ૩૧ દર્દીઓ ઝપેટમાં આવ્યા હતા. જયારે  સિટીમાં ૧૨ અને જીલ્લામાં ૩  દર્દી સહિત ૧૫ દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. સિટીમાં ૧૪૬ અને જીલ્લામાં ૩૩ સાથે કુલ કોરોનામાં ૧૭૯ એકટીવ કેસ છે.

ઓરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ સિટીમાં આજે સોમવારે કોરોનામાં સૌથી વધુ રાંદેરમાં ૭ અને લિંબાયતમાં ૭, અઠવામાં ૬, વરાછા એમાં ૩કતારગામમાં ૩ અને વરાછા બી ઝોનમાં ૧ દર્દીના કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જયારે આજે ૧૨ દર્દી રજા આપવામાં આવી હતી. જયારે સિટીમાં કોરોનામાં કુલ ૧૪૬ એકટીવ કેસ છે. જેમાં બે દર્દી હોસ્પિટલમાં  સારવાર હઠળ છે. સિટીમાં તા.૧ લી માર્ચ થી અત્યાર સુધીમાં કોરોનામાં કુલ ૨૨૩ દર્દી પૈકી એક દર્દી મોત થયુ હતું.જયારે સુરત જીલ્લામાં આજે માંગરોળમાં ૧, ઓલપાડમાં ૧ અને ઉમરપાડામાં ૧ દર્દી સંક્રમિત થયા છે.  સુરત જીલ્લામાં આજે કોરોનામાં ૩ દર્દીને રજા આપવામાં આવી છે. જયારે ૩૩ એક્ટિવ કેસ છે.

Tags :