Get The App

જોડિયા માટેના નવા એસ.ટી. બસ સ્ટેન્ડના ભુમિ પુજન બાબતે રાજયના એસ.ટી. નિગમની ઘરની ધોરાજી

Updated: Feb 7th, 2026

GS TEAM

Google News
Google News
જોડિયા માટેના નવા એસ.ટી. બસ સ્ટેન્ડના ભુમિ પુજન બાબતે રાજયના એસ.ટી. નિગમની ઘરની ધોરાજી 1 - image

Jamnagar GSRTC : હિન્દુ શાસ્ત્રોમાં પુજન વિધિ માટે અનેક પ્રકારના ઉલ્લેખ છે. જેમાં કોઈ પણ નિમાર્ણ સ્થળ માટે (ભુમિ) ખાતમુહુર્ત કરવાનું પ્રાવધાન છે પરંતુ આ બાબત જામનગર જિલ્લા સરકારી તંત્રની અજ્ઞાનતા સામે આવી છે. વાત એમ છે. કે રાજયના એસ ટી નિગમ દ્વારા રાજયના દરેક તાલુકા મથકે એસ.ટી.ના નવા બસ સ્ટેન્ડનું નિર્માણ ત્રણ વર્ષ પહેલાં નક્કી કર્યું હતું, અને રાજય સરકાર દ્વારા તાલુકા મથક જોડિયામાં એસ.ટીના નવા બસ સ્ટેન્ડના નિર્માણ માટે ગ્રાંટ ફાળવી ચૂકી છે, અને જાહેરાત પણ કરાઈ હતી. જીલ્લા એસ.ટી ડેપોના અધિકારી જોડિયા ગ્રામ પંચાયતની મુલાકાત લઈને પંચાયત પાસે સરકારી જમીન માંગણી કરી હતી. પરંતુ જોડિયા પંચાયત પાસે પોતાના વિસ્તારમાં સમ ખાવા જેટલી જમીન બચી નથી. તો પછી બસ નિર્માણ માટે ક્યાંથી જમીન ફાળવી શકે ? 

અત્યાર સુધી ગામની અંદરનું ખાનગી માલિકની જગ્યા ભાડે રાખીને બસ સ્ટેન્ડ વરસોથી ભાડાની જગ્યાનો ઉપયોગ કરતું હતું. નવા બસ સ્ટેન્ડના નિર્માણ માટે જમીન ટુંકી પડતી હતી. જયારે વર્તમાન જામનગરના ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય રાધવજી પટેલ, કે જેઓ કેબીનેટ મંત્રી હતા, ત્યારે તેઓ જોડિયા માટે નવા બસ સ્ટેન્ડના નિર્માણ માટેની જાહેરાત કરી ચૂક્યા છે. અંતે એકાદ વર્ષ પહેલાં સરકારના દબાણ હેઠળ જોડિયાના મામલતદાર દ્વારા ગામથી એક કિલો મીટર દુર મહેસુલ કચેરી સામે એક વર્ષ પહેલાં રેલવેની પડતર જમીન ફાળવી છે. 

જયારે ખાતમુહુર્તનો સમય આવ્યો તે પણ જોડિયાથી 22 કિલો મીટર દૂર ધ્રોળ ખાતે જોડિયા અને ધોલના નવા બસ સ્ટેન્ડના નિર્માણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 

ગુજરાતમાં પુવૅ કોંગ્રેસની સરકારની જેમ અન્યાયની પરંપરા છેલ્લા 30 વર્ષથી ગુજરાતની ભાજપા સરકાર જોડિયા સાથે ચાલું રાખીને જોડિયાની પ્રજાને અછુત સમજી રહી છે. જેનો દાખલો તાજેતરમાં ધ્રોળ ખાતે બસ સ્ટેન્ડના ખાતમુહુર્તે બતાવી આપેલો છે. સરકાર કાર્યક્રમ પાછળ કરોડ રૂપિયાના ખર્ચની વાહવાહી લુંટે છે. જોડિયામાં બસ સ્ટેન્ડનું ખાતમુહુર્ત કરવાનાને બદલે ધ્રોળમાં કરવાથી જોડિયાની પ્રજામાં નારાજગી જોવા મળે છે. 

શાસ્ત્રો મુજબ જે સ્થળે નિર્માણ કરવાનું હોય તે સ્થળનું વિધિ પૂર્વક ભુમિ પુજનની માન્યતા રહી છે. પરંતુ રાજયનું એસ. ટી નિગમે ખાતમુહુર્તની પરંપરા બદલી નાખી. 2018/19 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોડિયા ખાતે દરિયાના ખારા પાણીમાંથી મીઠાં પાણી બનાવવાની યોજનાનું ખાતમુહુર્ત જામનગરથી કર્યું હતું. તેઓએ ગુજરાતને ઈઝરાયલ જેવું સપનું બતાવવા માંગતા હતા. કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયલની મુલાકાત સમયે ખારા પાણીથી મીઠાં પાણીની ટેકનોલોજી નિહાળી હતી. જે આજે પણ ખારા પાણીથી મીઠાં પાણી યોજના ફાઈલ નીચે દટાઈ ગઈ છે. જોડિયાની પ્રજાનું માનવું છે. બીજા સ્થળનું ખાતમુહુર્ત જોડિયાના નવા બસ સ્ટેન્ડની સપના પુનરાવર્તન તો નથી થવાનું. તાજેતરમાં ધોલના એસ ટી વર્કશોપ ધ્રોલ અને જોડિયાના નવા બસ સ્ટેન્ડના નિર્માણ માટે રાજયના મંત્રી અર્જુન મોઢવાડીયાના હસ્તે કરાયું છે.