વડોદરામાં ગોડાઉન હોવા છતાં નિઝામપુરા સ્મશાનમાં લાકડા ખુલ્લામાં નાખી દેવાતા વિવાદ
Vadodara: વડોદરાના નિઝામપુરા સ્મશાનમાં ગોડાઉન હોવા છતાં 200થી 300 મીટરના વિસ્તારના ખુલ્લા વિસ્તારમાં લાકડા પડી રહ્યા છે. આગામી ચોમાસાની સિઝન બિલકુલ નજીકમાં છે ત્યારે વરસાદમાં આ લાકડા જરૂર ભીના થઈ જશે તેમાં શંકાને સ્થાન નથી. જોકે ગયા વર્ષે પણ સળગતી ચિતા ઉપરના પતરામાંથી ટપકતું પાણી ચિતા પર પડી રહ્યું હતું.
સ્મશાનમાં વખાર-ગોડાઉન હોવા છતાં પણ ખુલ્લામાં લાકડા પડી રહે તો પછી ચોમાસામાં તેની શું હાલત થાય એ વિચારવા જેવું છે. ભીના લાકડા ચિતામાં વાપરવાથી ખૂબ સમયનો વ્યય થઈ શકે છે. આ અંગે ખુલ્લામાં લાકડા નાખવા બાબતે યોગ્ય તપાસ તંત્ર દ્વારા થાય એ અત્યંત જરૂરી છે.