Gujarat

વડોદરાના સયાજી બાગમાં નાસ્તાના પડીકા કે પાણીની બોટલો લઈ જવા પર પ્રતિબંધની સુચનાથી વિવાદ

By GS TEAM
1 Jun 20262 mins read
TukuTouch Logo
વડોદરા શહેરની મધ્યમાં આવેલા સયાજી બાગ પર્યટકો માટે આકર્ષણ રૂપ બન્યો છે ત્યારે સયાજી બાગમાં સ્વચ્છતા જળવાઈ રહે તેને ધ્યાનમાં રાખી નાસ્તાના પ્લાસ્ટિકના પડીકા કે પાણીની બોટલ લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. જ્યારે સયાજી બાગમાં સ્ટોલ ધરાવતા વેપારીને પાણીની બોટલ હોય કે અન્ય સિંગલ યુઝ પ્લાસ્ટિકની છાસ કે અન્ય બોટલો હોય તેના વેચાણને છૂટછાટ હોવાથી વિવાદ સર્જાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના સયાજી બાગમાં નાસ્તાના પડીકા કે પાણીની બોટલો લઈ જવા પર પ્રતિબંધની સુચનાથી વિવાદ

Vadodara Sayaji Baug : વડોદરા શહેરની મધ્યમાં આવેલા સયાજી બાગ પર્યટકો માટે આકર્ષણ રૂપ બન્યો છે ત્યારે સયાજી બાગમાં સ્વચ્છતા જળવાઈ રહે તેને ધ્યાનમાં રાખી નાસ્તાના પ્લાસ્ટિકના પડીકા કે પાણીની બોટલ લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. જ્યારે સયાજી બાગમાં સ્ટોલ ધરાવતા વેપારીને પાણીની બોટલ હોય કે અન્ય સિંગલ યુઝ પ્લાસ્ટિકની છાસ કે અન્ય બોટલો હોય તેના વેચાણને છૂટછાટ હોવાથી વિવાદ સર્જાયો છે. 

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અરુણ બાબુએ સયાજી બાગમાં આવતા પર્યટકોના પ્રવેશ માટે રજીસ્ટ્રેશન કરાવવાની શરૂઆત કરતા હોબાળો સર્જાયો હતો પરંતુ ત્યારબાદ તે પ્રથા ચાલુ રાખવામાં આવી છે.

સયાજી બાગમાં સ્વચ્છતા જળવાઈ રહે તેને ધ્યાનમાં રાખીને ગઈકાલે મ્યુનિસિપલ કમિશનરની સુચનાથી સફાઈ ઝુંબેશ કરવામાં આવી હતી સફાઈ ઝુંબેશની કામગીરીને ધ્યાનમાં રાખી કચરો નાખનારા કેટલાક પર્યટકો પાસેથી રૂપિયા 2000 નો દંડની વસુલાત કરી હતી અને રાત્રે બે વાગ્યા સુધી સયાજી બાગની સફાઈ કરવામાં આવી હતી. જેમાં ઠેર-ઠેર પાણીની બોટલો તેમજ નાસ્તાના પેકિંગ કરેલા ફૂડ પેકેટના પ્લાસ્ટિકનો કચરો હતો તેની સફાઈ કરવામાં આવી હતી. 

  આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કમિશનર દ્વારા નાસ્તાના પેકિંગ કરેલા ફૂડ પેકેટ અને પ્લાસ્ટિકની પાણીની બોટલો સયાજી બાગમાં લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે જેના મિશ્ર પ્રત્યાઘાત પડ્યા હતા. 

કેટલાક પર્યટકોએ વિરોધ કરતા જણાવ્યું હતું કે ઉનાળાની સીઝન હોય ત્યારે દૂરથી આવનારા પર્યટકો પાણીની બોટલ ભરીને લાવે તે જરૂરી છે. કોર્પોરેશનના આવા નિયમો અને કારણે પર્યટકો મુશ્કેલીમાં મુકાશે જ્યારે કેટલાક પર્યટકોએ મ્યુનિસિપલ કમિશનરના પગલાને આવકાર્યું હતું. કેટલાક પર્યટકોએ તો કોર્પોરેશનની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા કે, સયાજી બાગમાં આવેલા ખાણીપીણીના સ્ટોલમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની અનેક ચીજ વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે અને તે પર્યટકો ખરીદી કરી બાગમાં કચરો નાખશે તો તેની સફાઈ કોર્પોરેશન કરશે એટલું જ નહીં જ્યારે કોર્પોરેશન સયાજી બાગમાં પ્રાણી સંગ્રહાલય કે પક્ષી ઘર નિહાળવા માટેની ફી વસૂલ કરે છે ત્યારે સફાઈની જવાબદારી કોર્પોરેશનની રહેલી છે ત્યારે આવા નિયમો બનાવવાથી પર્યટકો ને મુશ્કેલી પડશે જ્યારે કોર્પોરેશનના સયાજી બાગમાં ફરજ બજાવતા સિક્યુરિટી અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે, સયાજી બાગમાં પાણીની પરબો રાખવામાં આવી છે.