8 લાખની સામે 18 લાખ ચૂકવી દેવા છતાં વધુ 15 લાખની માંગણી કરતા બે વ્યાજખોરો સામે ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Vyajkhor : વડોદરાના માંજલપુરમાં જ્યુપિટર ચાર રસ્તા પાસે મારૂતિ ધામ હાઉસિંગ સોસાયટીમાં રહેતા અશોક કુમાર રમણલાલ ગજ્જરે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે વર્ષ 2019 માં મારી જરૂરિયાત ઊભી થતા મિતેશ કનુભાઈ પટેલ (રહે. ઉમાનગર, સોમા તળાવ) પાસે ડભોઇ રોડ પાસેથી ટુકડે ટુકડે ત્રણ ટકાના માસિક વ્યાજે ચાર લાખ રૂપિયા લીધા હતા. મેં અત્યાર સુધી 9.08 લાખ રૂપિયા ચૂકવી દીધા છે તેમ છતાં મારી પાસે આઠ લાખની ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપે છે.
આ ઉપરાંત મેં વાઘોડિયા ડભોઇ રીંગરોડ ભરવાડ વાસમાં રહેતા હરેશ ભવનભાઈ ભરવાડ પાસેથી રૂ.4,00,000 લીધા હતા. મેં અત્યાર સુધી નવ લાખ રૂપિયા આપી દીધા છે ત્યાં જતા વધુ 6 લાખની માંગણી કરી મારા પુત્રને ઉઠાવી જવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપે છે.








