આગામી 14 જુનના રોજ મુખ્યમંત્રીના સુરત આગમનની શક્યતા : 275 કરોડથી વધુના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરાશે
Surat : ગુજરાતના મુખ્યમંત્રી આગામી 14 જૂનના રોજ સુરત પ્રવાસે આવે તેવી શ્કયતા હોવાથી સુરત પાલિકાએ વડાપ્રધાન સમક્ષ રજુ કરેલા 507 કરોડના પ્રોજેક્ટમાંથી બાકી રેહલા 275 કરોડથી વધુના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાત મુર્હુત મુખ્યમંત્રીના હસ્તે કરાવવા માટે કવાયત શરૂ કરી દીધી છે.
ગુજરાતના પ્રવાસે આવેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સુરત પાલિકાના 507 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ઉદ્ઘાટન પ્રોજેક્ટ રજૂ કરાયા હતા. જોકે, ગત 27 મે ના રોજ વડાપ્રધાનના હસ્તે 232 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં બાયોડાયવર્સીટી પાર્ક સહિત ચાર પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
ત્યાર બાદ 35 જેટલા 275 કરોડથી વધુના પ્રોજેક્ટ લોકાર્પણ અને ખાત મુર્હુત પ્રોજેક્ટ બાકી રહ્યા હતા. આગામી 14 જૂનના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સુરતના પ્રવાસ આવે તેવી શક્યતા છે તે દિવસે પાલિકાના આ પ્રોજેક્ટનું ખાત મુર્હૂત અને લોકાર્પણ કરવામા આવે તે માટે તૈયારી શરૂ થઈ ગઈ છે. આ માટે પલિકા દ્વારા આજે તમામ ઝોનના વડા, અને વિભાગીય વડા વચ્ચે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ પ્રોજેક્ટનું લોકાર્પણ ખાત મુર્હૂત માટેની ચર્ચા થઈ હતી. સંભવતઃ મુખ્યમંત્રી સુરતના પ્રવાસે આવે તો ઈન્ડોર સ્ટેડિયમ અથવા અઠવા પાર્ટી પ્લોટમાં કાર્યક્રમ માટે વિચારણા થઈ રહી છે.