Get The App

જામનગરમાં અંધાશ્રમ આવાસના ડિમોલેશન કરાયેલા કાટમાળને ચૂંથી રહેલા યુવાન પર ભેખડ ધસી

Updated: Dec 13th, 2024

GS TEAM


Google News
Google News
જામનગરમાં અંધાશ્રમ આવાસના ડિમોલેશન કરાયેલા કાટમાળને ચૂંથી રહેલા યુવાન પર ભેખડ ધસી 1 - image


Jamnagar : જામનગર મહાનગરપાલિકા દ્વારા 1404 અંધઆશ્રમ આવાસના જર્જરિત બ્લોકનું ડિમોલેશન હાથ ધરાયું છે, અને કેટલાક બ્લોકનો કાટમાળ ઢગલાના સ્વરૂપમાં પડ્યો છે.

 જે જગ્યા પર ગઈકાલે તે જ વિસ્તારમાં રખડતો ભટકતો એક યુવાન કાટમાળ ચૂંથી રહ્યો હતો, જે દરમિયાન કાટમાળનો ઢગલો ધસી પડતાં તેના બંને પગ દબાયા હતા, અને તેણે બુમાંબુમ કરી મૂકવાથી આસપાસના વિસ્તારના લોકો એકત્ર થઈ ગયા હતા, અને તેને બહાર કાઢી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના પર શસ્ત્રક્રિયા થઈ રહી છે.

 મહાનગરપાલિકા દ્વારા હાલ છેલ્લા ચાર દિવસથી ડિમોલેશન કામ બંધ હતું, દરમિયાન ત્યાં પડેલા ઢગલા ચૂંથવા જતાં યુવાન ઇજાગ્રસ્ત બન્યો છે.

Tags :