Get The App

ભારત- પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સંભાવનાને લીધે સિવિલ અને સ્મીમેર તંત્ર એલર્ટ

Updated: May 9th, 2025

GS TEAM


Google News
Google News
ભારત- પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સંભાવનાને લીધે સિવિલ અને સ્મીમેર તંત્ર એલર્ટ 1 - image


- દવાનો જથ્થો,જરૃરી સાધનો, જનરેટર અને વોર્ડ સહિતની બંને હોસ્પિટલમાં વ્યવસ્થા કરાઇ

 સુરત :

 ભારત-પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધની પરિસ્થિતિના લીધે સુરત નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના તંત્ર એલર્ટ થઈને દવાનો જથ્થો, ડોકટરોની ટીમ, લાઈટ કટ થાય તો જનરેટર સહિતની જરૃરી વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત મુજબ ભારત-પાકિસ્તાન વચ્ચે ઉદ્ભવેલી યુદ્ધની તણાવભરી સ્થિતિ સર્જાઇ  છે. આવા સંજોગો રાજ્યના આરોગ્ય વિભાગ એલર્ટ  મોડમાં આવીને મેડીકલ ઇમરજન્સી માટે યોગ્ય અને જરૃરી વ્યવસ્થા કરવા માટે  સરકારી હોસ્પિટલના તંત્રને સુચના આપી છે. નવી સિવિલના આર.એમ.ઓ ડો. કેતન નાયકે કહ્યું  કે, લાંબા સમય સુધી ચાલે એટલો વિવિધ પ્રકારનો દવાનો જથ્થો, સર્જરી માટે જરૃર પડે તેવી ચીજવસ્તુઓ તથા સાધનો સહિતનો  સ્ટોક, સિવિલમાં જો વીજળી જાય તો પણ લોકોને સારવાર મળી રહે, તે માટે જનરેટર તેમજ ડિઝલની વ્યવસ્થા કરાય છે. આ સાથે કિડની બિલ્ડીંગમાં  જરૃર પડશે તો અલગ વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે તથા ડોકટર સહિતની ટીમ કોઇ પણ પરિસ્થિને પહોચી વળવા તૈયાર છે.  સ્મીમેર હોસ્પિટલના ઈનચાર્જ તબીબી અધિક્ષક ડો. અરવિંદ પાંડેએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આપવામાં આવેલા પરિપત્ર આધારે  જરૃરી વ્યવસ્થા અને તૈયારીઓ કરવાની હોય છે, કે  વિવિધ દવાઓનો જથ્થો, વેન્ટિલેટરો, મેડીકલ સાધનો, ડિઝલ સાથે જનરેટ ,૩૦ બેડનો વોર્ડ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે ક્લિનિકલ, સર્જરી સહિતના વિભાગના ડોક્ટરો હાજર છે.

 ભારત- પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સંભાવનાને લીધે સિવિલ અને સ્મીમેર તંત્ર એલર્ટ 2 - image

- સિવિલ અને સ્મીમેરમાં  સેવાભાવીઓએ સ્વૈચ્છીક રક્તદાન કર્યુ

આવા પરિસ્થિતિમાં જો ગંભીર હાલતમાં કે ઇજાગ્રસ્ત હાલતમાં દર્દીઓ સારવાર માટે આવે,  સારવાર માટે ખસેડાયેલા દર્દીઓને લોહી સમયસર વિવિધ ગૃપનું લોહી મળી રહે તે માટે નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં આજે કેટલાક સેવાભાવી વ્યક્તિઓ સ્વૈચ્છીક રક્તદાન કર્યુ હતુ. જોકે શહેરના વધુ સેવાભાવી વ્યકિત કે સંસ્થાઓ,યુવકો દ્રારા સ્વૈચ્છીક રક્તદાન કરવા માટે અપીલ ડોકટર દ્રારા કરવામાં આવી છે.

Tags :