Gujarat

નાગરિકોએ માજી. કાઉન્સિલરો પર રોષ ઠાલવ્યો

By GS TEAM
19 Apr 20261 min read
નાગરિકોએ માજી. કાઉન્સિલરો પર રોષ ઠાલવ્યો

ભાજપના ઉમેદવારો અને કાર્યકરોને આજે વાડી વિસ્તારની મધુકુંજ સોસાયટીમાં ફેરણી દરમિયાન નાગરિકોના ઉગ્ર રોષનો સામનો કરવો પડ્યો હતો.

મતદારોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માટે સરિયામ બેદરકાર રહેલા કાઉન્સિલરો સામે રોષે ભરાયેલ સ્થાનિક મહિલાઓએ ભાજપના પૂર્વ મહિલા કાઉન્સિલરો સામે બળાપો ઠાલવ્યો હતો.

મહિલાએ કહ્યું કે, પાંચ વર્ષ અગાઉ મત માગવા આવ્યા ત્યારે અમે પાણી અને સ્ટ્રીટ લાઈટની ફરિયાદ કરી હતી. ત્યારબાદ પણ અનેક વખત રજૂઆત કરી. આજે પાંચ વર્ષ પછી તમે દેખાયા છો!

અન્ય એક મહિલાએ જણાવ્યું કે, છેલ્લા બે મહિનાથી સોસાયટીમાં દુર્ગંધયુક્ત અને ઓછા પ્રેશરે પાણીનું વિતરણ થઈ રહ્યું છે. આ સ્થિતિ ગૃહિણીઓ માટે રોજની મુશ્કેલીનું કારણ બની છે. ઉપરાંત, સ્ટ્રીટ લાઈટની સમસ્યાનો પણ ઉકેલ આવ્યો નથી. આ માટે અનેક વખત લેખિત-મૌખિક રજૂઆત કરી છે.

નાગરિકોનો રોષ જોતા પૂર્વ કાઉન્સિલર અને કાર્યકરોએ સમસ્યાના ઉકેલની ગેરંટી આપતા મામલો શાંત થયો હતો.