Gujarat

મહેસાણાની દૂધસાગર ડેરીની બોર્ડ બેઠકમાં હોબાળો, ચેરમેન અશોક ચૌધરીએ વાઈસ ચેરમેનને લાફો માર્યો

By GS TEAM
27 Jun 20251 min read
TukuTouch Logo
મહેસાણા દૂધ સાગર ડેરીની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં ભારે હોબાળો થયો છે. આ બેઠકમાં ડેરીના હિસાબો અને વ્યવસ્થાપન મુદ્દે ચર્ચા ચાલી રહી હતી. જેને લઈને ડેરીના ચેરમેન અશોક ચૌધરી અને વાઈસ ચેરમેન યોગેશ પટેલ વચ્ચે ઉગ્ર બોલાબોલી થઈ હતી. આ અંગે વાઈસ ચેરમેન યોગેશ પટેલે આરોપ મૂક્યો છે કે, આ દરમિયાન તણાવ વધી જતા ચેરમેન અશોક ચૌધરીએ મને લાફો ઝીંકી દીધો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

મહેસાણાની દૂધસાગર ડેરીની બોર્ડ બેઠકમાં હોબાળો, ચેરમેન અશોક ચૌધરીએ વાઈસ ચેરમેનને લાફો માર્યો

Mehsana Dudhsagar Dairy: મહેસાણા દૂધ સાગર ડેરીની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં ભારે હોબાળો થયો છે. આ બેઠકમાં ડેરીના હિસાબો અને વ્યવસ્થાપન મુદ્દે ચર્ચા ચાલી રહી હતી. જેને લઈને ડેરીના ચેરમેન અશોક ચૌધરી અને વાઈસ ચેરમેન યોગેશ પટેલ વચ્ચે ઉગ્ર બોલાબોલી થઈ હતી. આ અંગે વાઈસ ચેરમેન યોગેશ પટેલે આરોપ મૂક્યો છે કે, આ દરમિયાન તણાવ વધી જતા ચેરમેન અશોક ચૌધરીએ મને લાફો ઝીંકી દીધો હતો. 

મળતી માહિતી અનુસાર, આ ઘટના બાદ વાઈસ ચેરમેન યોગેશ પટેલ અને તેમનું જૂથ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. ત્યાં તેમણે સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી. આ મામલાની પોલીસે તપાસ કરવાની ખાતરી આપી છે. નોંધનીય છે કે, ભાજપના મેન્ડેટથી જ આ બંને ઉમેદવાર ચેરમેન અને વાઈસ ચેરમેન બન્યા છે.