Get The App

મહેસાણાની દૂધસાગર ડેરીની બોર્ડ બેઠકમાં હોબાળો, ચેરમેન અશોક ચૌધરીએ વાઈસ ચેરમેનને લાફો માર્યો

Updated: Jun 27th, 2025

GS TEAM

Google News
Google News
મહેસાણાની દૂધસાગર ડેરીની બોર્ડ બેઠકમાં હોબાળો, ચેરમેન અશોક ચૌધરીએ વાઈસ ચેરમેનને લાફો માર્યો 1 - image


Mehsana Dudhsagar Dairy: મહેસાણા દૂધ સાગર ડેરીની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં ભારે હોબાળો થયો છે. આ બેઠકમાં ડેરીના હિસાબો અને વ્યવસ્થાપન મુદ્દે ચર્ચા ચાલી રહી હતી. જેને લઈને ડેરીના ચેરમેન અશોક ચૌધરી અને વાઈસ ચેરમેન યોગેશ પટેલ વચ્ચે ઉગ્ર બોલાબોલી થઈ હતી. આ અંગે વાઈસ ચેરમેન યોગેશ પટેલે આરોપ મૂક્યો છે કે, આ દરમિયાન તણાવ વધી જતા ચેરમેન અશોક ચૌધરીએ મને લાફો ઝીંકી દીધો હતો. 

મળતી માહિતી અનુસાર, આ ઘટના બાદ વાઈસ ચેરમેન યોગેશ પટેલ અને તેમનું જૂથ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. ત્યાં તેમણે સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી. આ મામલાની પોલીસે તપાસ કરવાની ખાતરી આપી છે. નોંધનીય છે કે, ભાજપના મેન્ડેટથી જ આ બંને ઉમેદવાર ચેરમેન અને વાઈસ ચેરમેન બન્યા છે. 

મહેસાણાની દૂધસાગર ડેરીની બોર્ડ બેઠકમાં હોબાળો, ચેરમેન અશોક ચૌધરીએ વાઈસ ચેરમેનને લાફો માર્યો 2 - image



Tags :