એકતાનગર – હજરત નિજામુદ્દીન ટ્રેનના સમયમાં ફેરફાર
રેલવે પ્રશાસન દ્વારા એકતાનગર – હજરત નિજામુદ્દીન સુપરફાસ્ટ દ્વિ-સાપ્તાહિક ટ્રેનના સમય અને સંચાલનના દિવસોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એકતાનગર – હજરત નિજામુદ્દીન સુપરફાસ્ટ એકતાનગરથી દરેક બુધવાર અને શુક્રવારના રોજ ઉપડે છે, 31 જુલાઈથી આ ટ્રેન એકતાનગરથી દરેક ગુરૂવાર અને શનિવારના રોજ બપોરે 3:20 કલાકને બદલે હવે રાત્રે 11.30 કલાકે પ્રસ્થાન કરશે. તેમજ હજરત નિજામુદ્દીન – એકતાનગર હજરત નિજામુદ્દીનથી દરેક ગુરૂવાર અને શનિવારના રોજ ઉપડે છે, 01 ઓગસ્ટથી આ ટ્રેન દરેક શુક્રવાર અને રવિવારના રોજ બપોરે 1:25 કલાકને બદલે હવે બપોરે 3.45 કલાકે પ્રસ્થાન કરશે.