Get The App

અમદાવાદમાં રેલવે સ્ટેશને આવતી અનેક ટ્રેનોના સમય અને સ્થળ બદલાયા, જુઓ લીસ્ટ

Updated: Jun 23rd, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં રેલવે સ્ટેશને આવતી અનેક ટ્રેનોના સમય અને સ્થળ બદલાયા, જુઓ લીસ્ટ 1 - image


Ahmedabad News : અમદાવાદ સ્ટેશનનો કાયાકલ્પ કરવામાં આવી રહ્યો છે અને તેને વિશ્વકક્ષાના સ્ટેશન રૂપે પુનઃવિકસિત કરવામાં આવી રહ્યું છે. રિડેવલપમેન્ટ કામ હેઠળ અમદાવાદ રેલવે સ્ટેશન પર RLDA દ્વારા પ્લેટફોર્મ નં. 8-9 પર રેલવે ઓવર બ્રિજ અને કોનકોર્સના બાંધકામના સંબંધમાં પાઈલિંગ કામ માટે 05 જુલાઈથી 12 સપ્ટેમ્બર 2025 એટલે કે 70 દિવસ સુધી બ્લોક લેવામાં આવશે. જેને લઈને અમદાવાદ રેલવે સ્ટેશનથી ઉપડનારી/આવનારી કેટલીક ટ્રેનોના ટર્મિનલને અસારવા, મણીનગર અને વટવામાં હંગામી ધોરણે સ્થળાંતરિત (Shift) કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. 

અમદાવાદ રેલવે સ્ટેશનથી ચાલનારી કેટલીક ટ્રેનોના ટર્મિનલ સ્ટેશનમાં ફેરફાર કરાયો છે, ત્યારે અમદાવાદ સ્ટેશન પર યાત્રીઓ માટે સેવાઓ વધારવા અને અપગ્રેડ કરવા સહિત ભીડને ઓછી થશે. જેમાં અમદાવાદ-એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસના ટર્મિનલને અસારવામાં સ્થળાંતરિત કરવામાં આવ્યું છે. જ્યારે અમુક ટ્રેનોના ટર્મિનલને મણીનગર/વટવામાં સ્થળાંતરિત કરાયા છે. જેમાં કેટલીક ટ્રેનોના સ્ટોપેજ અમદાવાદના કાલુપુર સ્ટેશનને બદલે સાબરમતી સ્ટેશન પર આપવામાં આવ્યા છે. આ સાથે ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવશે. 

પ્રભાવિત ટ્રેનો અને બદલાયેલા સમયની માહિતી:

અમદાવાદથી અસારવા સ્થળાંતરિત કરાયેલી ટ્રેન

- ટ્રેન નંબર 12655 અમદાવાદ-એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસને 05 જુલાઈ 2025થી અમદાવાદથી અસારવા સ્થાળાંતરિત કરવામાં આવશે. આ ટ્રેન અસારવા સ્ટેશનથી રાત્રે 9:05 વાગ્યે ઉપડશે. જ્યારે ટ્રેન નંબર 12656 એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ-અમદાવાદ નવજીવન એક્સપ્રેસ અમદાવાદને બદલે અસારવા સ્ટેશન પર સાંજે 6:20 વાગ્યે પહોંચશે. 

અમદાવાદથી મણીનગર/વટવા સ્થળાંતરિત કરાયેલી ટ્રેનો 

- ટ્રેન નંબર 12932 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ એસી ડબલ ડેકર એક્સપ્રેસને 07 જુલાઈ, 2025થી મણીનગર સ્થળાંતરિત કરાશે. આ ટ્રેન મણીનગર સ્ટેશનથી સવારે 05:50 વાગ્યે ઉપડશે. જ્યારે ટ્રેન નંબર 12931 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એસી ડબલ ડેકર એક્સપ્રેસ 05 જુલાઈ, 2025થી વટવા સ્ટેશન પર રાત્રે 9:20 વાગ્યે પહોંચશે.

- ટ્રેન નંબર 19034 અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસનું ટર્મિનલ 05 જુલાઈ, 2025થી મણીનગર સ્થળાંતરિત કરાશે અને આ ટ્રેન મણીનગર સ્ટેશનથી સાંજે 6:20 વાગ્યે ઉપડશે. 

- ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ 05 જુલાઈ, 2025થી વટવા સ્ટેશન પર બપોરે 2:20 કલાકે પહોંચશે તથા અમદાવાદ સ્ટેશન પર જશે નહીં.

બદલાયેલા સમય સાથે સાબરમતી સ્ટેશન પર સ્ટોપેજ લેનારી ટ્રેનો 

- ટ્રેન નંબર 20495 જોધપુર-હડપસર એક્સપ્રેસનું 5 જુલાઈ 2025થી સાબરમતી સ્ટેશન પર સવારે 05:20 કલાકે આગમન થશે તથા સવારે 05:30 કલાકે પ્રસ્થાન કરશે. જ્યારે ટ્રેન નંબર 20496 હડપસર-જોધપુર એક્સપ્રેસનું 5 જુલાઈ 2025થી સાબરમતી સ્ટેશન પર સવારે 07:20 કલાકે આગમન થશે તથા 07.30 કલાકે પ્રસ્થાન કરશે. 

- ટ્રેન નંબર 14701 શ્રી ગંગાનગર-બાન્દ્રા ટર્મિનલ અરાવલી એક્સપ્રેસનું 4 જુલાઈ 2025થી સાબરમતી સ્ટેશન પર રાત્રે 8:49 કલાકે આગમન થશે તથા રાત્રે 8:59 કલાકે પ્રસ્થાન કરશે. જ્યારે ટ્રેન નંબર 14702 બાન્દ્રા ટર્મિનસ-શ્રી ગંગાનગર અરાવલી એક્સપ્રેસનું 5 જુલાઈ 2025થી સાબરમતી સ્ટેશન પર સવારે 04:47 કલાકે આગમન થશે તથા 04:57 કલાકે પ્રસ્થાન કરશે. 

- ટ્રેન નંબર 12479 જોધપુર-બાન્દ્રા ટર્મિનસ સૂર્યનગરી એક્સપ્રેસનું 5 જુલાઈ 2025થી સાબરમતી સ્ટેશન પર મધ્યરાત્રીએ 03:00 કલાકે આગમન થશે તથા મધ્યરાત્રીએ 03:10 કલાકે પ્રસ્થાન કરશે. 

- ટ્રેન નંબર 22452 ચંદીગઢ-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસનું 6 જુલાઈ 2025થી સાબરમતી સ્ટેશન પર રાત્રે 00.01 કલાકે આગમન થશે તથા રાત્રે 00.10 કલાકે પ્રસ્થાન કરશે. 

- ટ્રેન નંબર 22738 હિસાર-સિકંદરાબાદ એક્સપ્રેસનું 6 જુલાઈ 2025થી સાબરમતી સ્ટેશન પર સવારે 07:10 કલાકે આગમન થશે તથા સવારે 07:20 કલાકે પ્રસ્થાન કરશે. 

- ટ્રેન નંબર 22664 જોધપુર-ચેન્નાઈ એગ્મોર એક્સપ્રેસનું 8 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર સવારે 07:10 કલાકે આગમન થશે તથા સવારે 07:20 કલાકે પ્રસ્થાન કરશે. 

- ટ્રેન નંબર 22916 હિસાર-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસનું 8 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર સવારે 07:10 કલાકે આગમન થશે તથા સવારે 07:20 કલાકે પ્રસ્થાન કરશે. 

- ટ્રેન નંબર 12998 બાડમેર-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસનું 10 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર સવારે 07:10 કલાકે આગમન થશે તથા સવારે 07:20 કલાકે પ્રસ્થાન કરશે. 

- ટ્રેન નંબર 22724 શ્રી ગંગાનગર-હુજુર સાહેબ નાંદેડ એક્સપ્રેસનું 5 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર સવારે 07:10 કલાકે આગમન થશે તથા સવારે 07:20 કલાકે પ્રસ્થાન કરશે. 

- ટ્રેન નંબર 14707 લાલગઢ-દાદર એક્સપ્રેસનું 5 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર રાત્રે 9:50 કલાકે આગમન થશે તથા રાત્રે 10:00 કલાકે પ્રસ્થાન કરશે. 

- ટ્રેન નંબર 12966 ભુજ-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસનું 11 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર મધ્યરાત્રીએ 02:10 કલાકે આગમન થશે તથા મધ્યરાત્રીએ 02:20 કલાકે પ્રસ્થાન કરશે. 

- ટ્રેન નંબર 12960 ભુજ-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસનું 7 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર મધ્યરાત્રીએ 02:10 કલાકે આગમન થશે તથા મધ્યરાત્રીએ 02:20 કલાકે પ્રસ્થાન કરશે. 

- ટ્રેન નંબર 22966 ભગત કી કોઠી-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસનું 5 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર મધ્યરાત્રીએ 02:10 કલાકે આગમન થશે તથા મધ્યરાત્રીએ 02:20 કલાકે પ્રસ્થાન કરશે. 

- ટ્રેન નંબર 20824 અજમેર-પુરી એક્સપ્રેસનું 8 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર મધ્યરાત્રીએ 02:10 કલાકે આગમન થશે તથા મધ્યરાત્રીએ 02:20 કલાકે પ્રસ્થાન કરશે. 

- ટ્રેન નંબર 22992 ભગત કી કોઠી-વલસાડ એક્સપ્રેસનું 9 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર મધ્યરાત્રીએ 02:10 કલાકે આગમન થશે તથા મધ્યરાત્રીએ 02:20 કલાકે પ્રસ્થાન કરશે. 

- ટ્રેન નંબર 20943 બાન્દ્રા ટર્મિનસ-ભગત કી કોઠી એક્સપ્રેસનું 10 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર સવારે 05:25 કલાકે આગમન થશે તથા સવારે 05:35 કલાકે પ્રસ્થાન કરશે. 

- ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસનું 5 જુલાઈ 2025 થી સાબરમતી (જેલ સાઈડ) સ્ટેશન પર સવારે 06:48 કલાકે આગમન થશે તથા સવારે 06:58 કલાકે પ્રસ્થાન કરશે. 

આ પણ વાંચો: ખોડીયાર પાસે રેલવે ટ્રેક પર વંદેભારત ટ્રેન ઉડાવી દેવાનું કાવતરૂ ખુલ્લુ પડયું

યાત્રીઓને જણાવવામાં આવે છે કે, ઉપરોક્ત ફેરફારને ધ્યાને લઈને મુસાફરી કરવામાં આવે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે યાત્રીઓ રેલવેની સત્તાવાર વેબસાઈટ enquiry.indianrail.gov.in  પર જઈને સમગ્ર માહિતી મેળવી શકે છે. 

Tags :