Gujarat

વિરમગામમાં મહાવીર સ્વામીના જન્મ વાંચન દિવસની ઉજવણી

By GS TEAM
25 Aug 20251 min read
વિરમગામમાં મહાવીર સ્વામીના જન્મ વાંચન દિવસની ઉજવણી

વિરમગામઃ વિરમગામ શ્વેતાંબર મૂતપૂજક જૈન સંઘમાં પ્રયુષણના પાંચમા દિવસે જૈન ધર્મના ૨૪મા  તિર્થંકર મહાવીર સ્વામી ભગવાનના જન્મ વાંચનની ભવયાદી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શાલીભદ્ર આરાધના ભવન ખાતે રવિવારે મહાવી જન્મનું વાંચન કરવામાં આવ્યું હતું. જૈન સંઘના સભ્યોએ દેરાસરમાં એકત્રિત થઈ મહાવીર સ્વામી ભગવાનને પારણામાં ઝુલાવ્યા. ભગવાનની માતાને આવેલા ૧૪ સ્વપ્નની ઘીની બોલી બોલાવવામાં આવી અને સંઘને દર્શન કરાવવામાં આવ્યા.