Get The App

ડિમોલિશન કામગીરી મામલે માનવ અધિકાર કનિશનમાં કેસ દાખલ

Updated: May 31st, 2025

GS TEAM


Google News
Google News
ડિમોલિશન કામગીરી મામલે માનવ અધિકાર કનિશનમાં કેસ દાખલ 1 - image


- હળવદ શહેરના જુના વિસ્તારમાં

- ગત મહિને 39 થી વધુ ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી ડિમોલિશન કર્યું હતું

હળવદ : હળવદ જુના જીન વિસ્તારમાં એપ્રિલ મહિનામાં ૩૯થી વધુ ગેરકાયદે બાંધકામોને તોડી પાવમાં આવ્યા હતા. દેવીપૂજક સમાજના ઘરો ઉપર બુલ્ડોઝર કાર્યવાહીનો મામલો દિલ્હી નેશનલ માનવઅધિકાર કમિશનમાં પહોંચ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે હળવદ ખાતે આવેલા જુના જીન વિસ્તારમાં સીટી સર્વે સુપ્રીટેન્ડેડ અને અધિકારીયોની ટીમ દ્વારા તારીખ ૦૯/૦૪/૨૦૨૫ના રોજ દેવી પૂજક સમાજના ગરીબ પરિવારોના રહેઠાણના આશરા ગેરકાયદેસર જાહેર કરીને બુલ્ડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી ગરીબ લોકોને ઘર વિહોણા કરી ખુલ્લામાં રહેવા મજબુર કરવા,  નાના બાળકો અને મહિલાઓ સાથે માનવતા વિરુદ્ધ કાર્યવાહી કર્યાની રજૂઆતને નેશનલ માનવ અધિકાર કમિશન દિલ્હી દ્વારા મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેશ દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે નેશનલ માનવ અધિકાર કમિશન શું ગરીબ દેવીપૂજક પરિવારોને ન્યાય આપશે કે કેમ? શું સરકારી તંત્રની મનમાની સાબિત થશે કે કેમ ? તે જોવું રહયુ.આગામી દિવસોમાં શું નિર્ણય આવે છે તે જોવું રહ્યું.

Tags :